સોમવતી અમાવસ્યા પર આ શક્તિશાળી મંત્રોનો જાપ કરો, તમારી બધી તકલીફો થશે દૂર

હિન્દુ ધર્મમાં અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે સોમવારે આવતી અમાવસ્યા સોમવતી અમાવસ્યા તરીકે ઓળખાય છે. વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે સોમવતી અમાવસ્યાનું વ્રત રાખે છે.
આ પણ વાંચો: ઘરમાં બાલ્કની સૌને પસંદ હોય છે, અહિં જાણો બાલ્કનીના વાસ્તુ વિશે કેટલીક રસપ્રદ વાતો
શાસ્ત્રોમાં સોમવતી અમાવસ્યા વ્રતને 'અશ્વત્થ પ્રદક્ષિણા વ્રત' કહેવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે પીપળનું વૃક્ષ. પીપળના ઝાડ પર ભગવાન વિષ્ણુનો વાસ છે. તેથી, સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે તપ કરવાથી, વ્રત રાખવાથી એક હજાર ગાયનું દાન કરવાનું પુણ્ય મળે છે. આ વખતે સોમવતી અમાવસ્યા 30 ડિસેમ્બરે ઉજવવામાં આવી રહી છે. સોમવતી અમાવસ્યાના દિવસે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. ચાલો જાણીએ એ મંત્રો વિશે.
ॐ भुर्भुवः स्व: तत्स्वितुर्वरेण्यम भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदायत्
સોમવતી અમાવસ્યાના દિવસે ગાયત્રી મંત્રનો જાપ કરવાથી માનસિક અને શારીરિક શક્તિ તો મળશે જ પરંતુ આર્થિક નુકસાનથી પણ રાહત મળશે.
ॐ आपदामपहर्तारम दातारं सर्वसम्पदाम्,
लोकाभिरामं श्री रामं भूयो-भूयो नामाम्यहम!
श्री रामाय रामभद्राय रामचन्द्राय वेधसे,
रघुनाथाय नाथाय सीताया पतये नम:!
સોમવતી અમાવસ્યાની રાત્રે આ મંત્રનો જાપ કરવાથી પરેશાનીઓમાંથી જલ્દી મુક્તિ મળે છે.
આ પણ વાંચો: ટૂંક સમયમાં મંગળ અને ચંદ્ર બનાવશે 'મહાભાગ્ય યોગ', આ રાશિના જાતકોના જીવનમાં આવશે ખુશીઓ
ઓમ નમઃ શિવાય
સોમવતી અમાવસ્યા પર શિવના પંચાક્ષરી મંત્રનો જાપ કરવાથી ભોલેનાથ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. આ મંત્રમાં બ્રહ્માંડના પાંચેય તત્વોને નિયંત્રિત કરવાની શક્તિ છે.
अयोध्या, मथुरा, माया, काशी कांची अवन्तिकापुरी, द्वारवती ज्ञेयाः सप्तैता मोक्ष दायिका
સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી વ્યક્તિ જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.
गंगे च यमुने चैव गोदावरी सरस्वती, नर्मदा सिंधु कावेरी जलेस्मिनेसंनिधि कुरू
સોમવતી અમાવસ્યાના દિવસે સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવાથી તીર્થસ્થાન પર સ્નાન કરવા જેવું જ પુણ્ય મળે છે.
આ પણ વાંચો: લીલા મરચાના ઉપાયો આર્થિક સમસ્યાઓ કરશે દૂર, રોગેથી પણ મળશે મુક્તિ
નોંધ: આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

