Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : Chant these 2 miraculous mantras on Ganesh Chaturthi: All obstacles in life will be removed, riddhi-siddhi will be obtained

ગણેશ ચતુર્થી પર આ 2 ચમત્કારિક મંત્રોનો કરો જાપ: જીવનના તમામ વિઘ્નો થશે દૂર, મળશે રિદ્ધિ-સિદ્ધિ

Timeછેલ્લું અપડેટ : 14 Sept 2026
લાઇવ ટીવીGoogle News
ગણેશ ચતુર્થી પર આ 2 ચમત્કારિક મંત્રોનો કરો જાપ: જીવનના તમામ વિઘ્નો થશે દૂર, મળશે રિદ્ધિ-સિદ્ધિ
સોર્સ : gstv

દર વર્ષે ભાદરવા સુદ ચોથના પાવન દિવસે ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન શ્રીગણેશનો પ્રાગટ્ય દિવસ છે, જેમને આપણે 'વિઘ્નહર્તા' અને 'સિદ્ધિદાતા' તરીકે પૂજીએ છીએ.

App Store

માન્યતા છે કે ગણેશ ચતુર્થીના શુભ દિવસે જો બાપ્પાના વિશેષ મંત્રોનો સાચા હૃદયથી જાપ કરવામાં આવે, તો જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ, ગ્રહદોષ અને અવરોધો દૂર થાય છે.

આ મંત્રો શા માટે ચમત્કારિક માનવામાં આવે છે?

ધાર્મિક માન્યતાઓ અને શાસ્ત્રો અનુસાર મંત્રોમાં દૈવી ઊર્જા અને સકારાત્મક સ્પંદનો સમાયેલા હોય છે. જ્યારે શુદ્ધ ઉચ્ચારણ, પૂર્ણ એકાગ્રતા અને શ્રદ્ધાપૂર્વક મંત્રોચ્ચાર કરવામાં આવે છે, ત્યારે તે સાધકને માનસિક શાંતિ, આધ્યાત્મિક બળ અને સ્થિરતા પ્રદાન કરે છે. ખાસ કરીને ગણેશ ચતુર્થીના પર્વ પર કરવામાં આવેલો મંત્રજાપ અક્ષય ફળ આપનારો માનવામાં આવે છે.

આ ૨ ચમત્કારિક મંત્રોનો કરો જાપ:

ૐ ગં ગણપતયે નમઃ 

આ ભગવાન ગણેશનો સૌથી લોકપ્રિય, સરળ અને અત્યંત પ્રભાવશાળી બીજ મંત્ર છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં કે પૂજા વિધિ દરમિયાન આ મંત્રનો ઓછામાં ઓછો ૧૦૮ વખત (એક માળા) જાપ કરવો ઉત્તમ માનવામાં આવે છે. આ મંત્રના જાપથી કાર્યક્ષેત્રમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે અને દરેક ક્ષેત્રે સફળતા મળે છે.

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ |

નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ||

આ પાવન શ્લોક દ્વારા ભગવાન ગણેશજીને વિનંતી કરવામાં આવે છે કે તેઓ જીવનના તમામ કાર્યોને અવરોધ વગર નિર્વિઘ્ને પૂર્ણ કરે. સવારની પૂજા દરમિયાન અથવા કોઈપણ નવા સંકલ્પ સમયે આ શ્લોકનું સ્મરણ કરવાથી માનસિક એકાગ્રતા વધે છે, મનને અપાર શાંતિ મળે છે અને અટકેલાં કાર્યો ઝડપથી આગળ વધે છે.

મંત્રજાપ કરવાની શાસ્ત્રોક્ત વિધિ

  • સવારે વહેલા ઊઠીને સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.

  • પૂજા સ્થાનમાં ઉત્તર કે પૂર્વ દિશા તરફ મુખ રાખી આસન ગ્રહણ કરો.

  • ગણેશજીની મૂર્તિ કે તસવીર સમક્ષ ઘીનો દીવો પ્રગટાવી લાલ ફૂલ, દૂર્વા અને મોદક અર્પણ કરો.

  • શાંત ચિત્તે રુદ્રાક્ષ કે ચંદનની માળાથી મંત્રોનો જાપ કરો.

  • જાપ પૂર્ણ થયા બાદ ગણેશજીની આરતી કરી ક્ષમાયાચના અને મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરો.


નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.