Religon/ બુધ પ્રદોષ વ્રત: જાણો શુભ મુહૂર્ત, મહત્ત્વ અને પૂજા વિધિ

પ્રદોષ વ્રત 20 ઓગસ્ટના રોજ છે. આ વ્રત બધા દુ:ખ અને દોષોથી મુક્તિ અપાવે છે તેવું માનવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની વિશેષ કૃપા ભક્તો પર રહે છે.
પ્રદોષ વ્રત ત્રયોદશી તિથિ પર મનાવવામાં આવે છે, જે દર મહિને બે વાર આવે છે, એક વાર કૃષ્ણ પક્ષમાં અને બીજી વાર શુક્લ પક્ષમાં. આ વ્રત સૂર્યાસ્ત સમયે મનાવવામાં આવે છે, જેને પ્રદોષ કાળ કહેવામાં આવે છે.
બુધ પ્રદોષ વ્રત તિથિ
પંચાંગ મુજબ, ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 20 ઓગસ્ટ, બુધવારના રોજ બપોરે 1:58 વાગ્યે શરૂ થશે અને 21 ઓગસ્ટના રોજ બપોરે 12:44 વાગ્યે સમાપ્ત થશે. જો કે પ્રદોષ પૂજાનું મુહૂર્ત 20 ઓગસ્ટે છે.
સિદ્ધિ યોગ અને પુનર્વસુ નક્ષત્ર
આ વખતે બુધ પ્રદોષ વ્રતના દિવસે સિદ્ધિ યોગ અને પુનર્વસુ નક્ષત્રનો સંયોગ થઈ રહ્યો છે. સિદ્ધિ યોગ સવારથી સાંજના 6:13 સુધી રહેશે, જ્યારે પુનર્વસુ નક્ષત્ર સવારથી 12:27 સુધી રહેશે.
પ્રદોષ વ્રત પૂજાવિધિ
પ્રદોષ વ્રતના દિવસે ભક્તો વહેલી સવારે ઊઠીને સ્નાન કરે છે અને ભગવાન શિવની પૂજા કરે છે. દિવસભર ઉપવાસ રાખવામાં આવે છે અને સૂર્યાસ્ત પછી ફળોનું સેવન કરવામાં આવે છે. આ દિવસે શિવલિંગ પર જળ, બેલપત્ર, ધતુરા અને અન્ય પૂજા સામગ્રી ચઢાવવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્ર અને શિવ તાંડવ સ્તોત્રનો પણ જાપ કરવામાં આવે છે.
નોંધ:- આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.

