Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ધર્મ : At what time does Goddess Lakshmi come to the house

માતા લક્ષ્મી કયા સમયે ઘરે પધારે છે? ભૂલથી પણ આ સમયે ન કરતા આ બે કામ

Timeછેલ્લું અપડેટ : 31 Mar 2026
લાઇવ ટીવીGoogle News
માતા લક્ષ્મી કયા સમયે ઘરે પધારે છે?  ભૂલથી પણ આ સમયે ન કરતા આ બે કામ
સોર્સ : AI IMAGE

સનાતન ધર્મમાં માતા લક્ષ્મીને ધન, વૈભવ અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. માન્યતા છે કે જે ઘરમાં લક્ષ્મીજીનો વાસ હોય ત્યાં ક્યારેય આર્થિક તંગી સર્જાતી નથી. જોકે, શાસ્ત્રોમાં દેવી લક્ષ્મીના આગમન અને ભ્રમણનો એક ચોક્કસ સમય જણાવવામાં આવ્યો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

App Store

શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, દિવસ દરમિયાન 'પ્રદોષ કાળ' એટલે કે સાંજે 4 થી 7 વાગ્યા સુધી ભગવાન શિવ દર્શન આપે છે. ત્યારબાદ સાંજે 7 થી 9 વાગ્યાની વચ્ચે લક્ષ્મીજી અને દરિદ્રતા (ગરીબી) બંને એકસાથે પૃથ્વી પર ભ્રમણ કરવા નીકળે છે. આ સમયગાળા દરમિયાન ઘરનું વાતાવરણ અને સ્વચ્છતા નક્કી કરે છે કે તમારા ઘરે લક્ષ્મી પધારશે કે ગરીબી.

આ બે પ્રકારના લોકોના ઘરે લક્ષ્મી ક્યારેય નથી જતી

મુખ્ય દ્વાર પર ગંદકી રાખનારા:

માતા લક્ષ્મીને સ્વચ્છતા અત્યંત પ્રિય છે. જે લોકોના ઘરના મુખ્ય દરવાજા પર હંમેશા ગંદકી રહેતી હોય, ત્યાં લક્ષ્મીજી ક્યારેય પ્રવેશતા નથી. જેથી દરરોજ સાંજે મુખ્ય પ્રવેશદ્વાર પર પાણીનો છંટકાવ કરવો, સુંદર રંગોળી બનાવવી અને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. 

સૂર્યોદય પછી સૂતા રહેનારા:

શાસ્ત્રોમાં આળસને દરિદ્રતાનું મૂળ માનવામાં આવ્યું છે. જે લોકો સૂર્યોદય થયા પછી પણ લાંબા સમય સુધી સૂતા રહે છે, તેમના પર દેવી લક્ષ્મીની કૃપા ક્યારેય થતી નથી. આવા લોકોના ઘરમાં સુખ-સમૃદ્ધિના બદલે ગરીબી પ્રવેશે છે અને જમા પૂંજીનો નાશ થાય છે.

નોંધ:-   આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ સ્રોતો જેવા કે - પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ/ શાસ્ત્રોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. GSTV આની પુષ્ટિ નથી કરતું. તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું.