Sahiyar : એક ચમચો દહીં, ચંદન પાવડર અને મસૂરદાળનાં લોટમાં થોડા ટીપાં લીંબુના રસમાં નાંખી ચહેરા પર લગાડવું

ચામડાના જોડા અથવા બેગ પર કરચલીઓ પડી ગી તો વેસલિન લગાડી થોડી વાર પછી બ્રશ ફેરવવાથી કરચલીઓ આછી થઈ જશે.
- બેલ્ટ કે પાયજામામાં પડેલી ગાઠ કે પછી દોરીમાં પડેલી ગાંઠ ઉકેલાતી ન હોય તો તેને થોડી વાર પાણીમાં પલાળી દેવાથી ગાંઠ પાણીથી ફૂલીને નરમ થઇ જશે. અને ગાંઠ સરળતાથી ઉકેલાઈ જશે.
- પ્લાસ્ટિકને સાફ કરવા તેના પર મીઠો સોડા નાખી રગડીને ભીના કપડાથી સાફ કરવાથી પ્લાસ્ટિક ચકચકિત થઇ જશે.
- પેટમાં બળતરા થતી હોય તો લવિંગ અને ખડી સાકર ભેળવી વાટી જરૂર પૂરતું પાણી ઉમેરવું. પેસ્ટ જેવું બનાવી પાણી સાથે લેવાથી ઠંડક થશે.
- મરીનો ભૂકો બાળી તેનો ધૂમાડો લેવાથી હેડકી બંધ થાય છે.
- એક ચમચો આમળાનો ભૂક્કો,એક ચમચો બહેળા,એક ચમચો ત્રિફળાને ભેળવી તેનાથી વાળ ધોવાથી વાળ કાળા સુંદર અને ઘટ્ટ રહે છે.
- વાળની જડમાં દહીં લગાડી બરાબર મસાજ કરી પંદર મિનિટ રાખી વાળ ધોવાથી વાળ મુલાયમ થશે.તેમજ ખોડાની ફરિયાદ દૂર થશે.
- લાલ મરચું પીસતી વખતે તેમાં એક ચમચો સરસવનું તેલ નાખવાથી મરચાંની ધાંસ નહીં ઊડે. એટલે કે આંખ,નાક,હાથ વગેરેમાં મરચાંથી બળતરા નહીં થાય.
- જખમને ઇન્ફેકશન ન લાગે અને સેપ્ટિકથી બચાવવા માટે જખમને પાણીથી ધોવો.
- મિનાક્ષી તિવારી

