Dharmlok: કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન, જાણો 11 સમજવા જેવી વાતો

સોર્સ : GSTV
- ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતાં, જીવનના દરેક ડગલાં પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે.
- નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય.
- બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ, આપણા જીવનની સૌથી મોટી સફળતા છે.
- દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી.
- માણસાઈ દિલમાં હોય છે. હેસિયતમાં નહીં, ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં.
- તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે.
- પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે.
- જીવનમાં સ્વાર્થ પુરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છુટી ગયાં પછી કોઈ કોઈની રાહ જોતું નથી.
- જે જોઈએ તે મેળવીને જ જંપવુ એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે.
- ઇશ્વર જ્યારે આપે છે, ત્યારે સારું આપે છે અને નથી આપતો, ત્યારે વધુ સારુ મેળવવાનો રસ્તો આપે છે, પણ જ્યારે રાહ જોવડાવે છે... ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે.
- આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે.

