Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી : Why is World Environment Day celebrated every year on 5 June

દર વર્ષે 5 જૂને જ કેમ ઉજવવામાં આવે છે World Environment Day? શું છે આ વખતની ખાસ થીમ?

Timeછેલ્લું અપડેટ : 05 Jun 2025
લાઇવ ટીવીGoogle News
દર વર્ષે 5 જૂને જ કેમ ઉજવવામાં આવે છે World Environment Day? શું છે આ વખતની ખાસ થીમ?

પર્યાવરણીય સંરક્ષણ કેટલું મહત્ત્વનું છે તેનો અંદાજ વધતા ગ્લોબલ વોર્મિંગ, હવામાનમાં અસામાન્ય ફેરફારો અને લુપ્ત થતા પ્રાણીઓ અને પક્ષીઓની સંખ્યા પરથી લગાવી શકાય છે. જો પર્યાવરણનું રક્ષણ નહીં કરવામાં આવે તો પૃથ્વી પર જીવન મુશ્કેલ બનશે. તેથી, દર વર્ષે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) ઉજવવામાં આવે છે.

App Store

આ દિવસ પર્યાવરણીય સંરક્ષણ માટે જાગૃતિ લાવવા અને લોકોને પ્રકૃતિ સાથે સંતુલનમાં રહેવા માટે પ્રેરણા આપવા માટે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ 1972માં આ દિવસની ઉજવણી શરૂ કરી હતી અને ત્યારથી તે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. દર વર્ષે એક ખાસ થીમ સાથે આ દિવસ ઉજવવામાં આવે છે, જે પર્યાવરણીય મુદ્દાઓ પર પ્રકાશ પાડે છે. ચાલો જાણીએ કે દર વર્ષે આ દિવસ 5 જૂનના રોજ જ કેમ ઉજવવામાં આવે છે અને આ વર્ષે પર્યાવરણ દિવસ (World Environment Day) ની થીમ શું છે?

5 જૂને જ કેમ ઉજવવામાં આવે છે આ દિવસ?

5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) તરીકે પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે 1972માં આ દિવસે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પર્યાવરણીય સંરક્ષણ પર પ્રથમ વૈશ્વિક શિખર સંમેલનનું આયોજન કર્યું હતું, જેને સ્ટોકહોમ કોન્ફરન્સ તરીકે ઓળખવમાં આવે છે. ઘણા દેશોએ આ પરિષદમાં ભાગ લીધો હતો અને પર્યાવરણીય પડકારો પર ચર્ચા કરી હતી. આ પછી, સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ (UNEP) ની સ્થાપના કરવામાં આવી અને 5 જૂનને વિશ્વ પર્યાવરણ દિવસ (World Environment Day) જાહેર કરવામાં આવ્યો હતો.

વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની થીમ શું છે?

પર્યાવરણ દિવસ 2025ની થીમ 'પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો' (End Plastic Pollution) છે. આ થીમ પસંદ કરવાનું કારણ એ છે કે પ્લાસ્ટિક પ્રદૂષણ આજે વિશ્વની સૌથી મોટી પર્યાવરણીય સમસ્યાઓમાંની એક બની ગયું છે. પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ આપણા પર્યાવરણને સંકટમાં મૂકી રહ્યો છે. આને કારણે, પ્રાણીઓને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને માઈક્રોપ્લાસ્ટિક માનવ સ્વાસ્થ્ય માટે પણ ઘાતક સાબિત થઈ રહ્યું છે.

દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે, જેમાંથી ખૂબ જ નાનો ભાગ રિસાયકલ થાય છે. ઉપરાંત, પ્લાસ્ટિકનું ડિગ્રેડ નથી થતું, એટલે કે તે ડીકમ્પોઝ થઈને પૃથ્વીમાં ભળી જતું નથી. આ કારણે જ પ્લાસ્ટિક પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. સમુદ્રમાં ઘણું પ્લાસ્ટિક ફેંકવામાં આવે છે, જે દરિયાઈ જીવોને ગૂંગળાવી રહ્યું છે. તેથી જ પ્લાસ્ટિક પ્રદૂષણને નિયંત્રિત કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.