Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : This temple is a unique example of Dravidian architecture and Indian heritage

Temple / દ્રવિડ સ્થાપત્ય અને ભારતીય વારસાનું અનોખું ઉદાહરણ છે આ મંદિર, 8મી સદીમાં થયું હતું નિર્માણ

Timeછેલ્લું અપડેટ : 17 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Temple / દ્રવિડ સ્થાપત્ય અને ભારતીય વારસાનું અનોખું ઉદાહરણ છે આ મંદિર, 8મી સદીમાં થયું હતું નિર્માણ
સોર્સ : GSTV

ભારતના પ્રાચીન મંદિરોમાં શોર મંદિર એક અનોખી ઓળખ ધરાવે છે. તમિલનાડુના મહાબલીપુરમ (માંમલ્લપુરમ) માં બંગાળની ખાડીના કિનારે આવેલું આ મંદિર માત્ર ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર જ નહીં, પરંતુ સ્થાપત્ય, ઈતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું એક અનોખું ઉદાહરણ પણ છે.

App Store

સમુદ્રની નજીક હોવાને કારણે તેને મોજાઓથી બચાવવા માટે તેની આસપાસ એક બંધ બનાવવામાં આવ્યો હતો, જે તેના ઐતિહાસિક મહત્ત્વને વધુ દર્શાવે છે. ચાલો આ પ્રાચીન મંદિર વિશે કેટલીક રસપ્રદ બાબતો જાણીએ.

પલ્લવ રાજવંશનો ભવ્ય વારસો

શોર મંદિર 8મી સદી (આશરે વર્ષ 700-728) દરમિયાન પલ્લવ રાજવંશના શાસક નરસિંહવર્મન IIના શાસન દરમિયાન બનાવવામાં આવ્યું હતું. તે સમયે પલ્લવ શાસકો દ્રવિડ સ્થાપત્ય શૈલીને નવી ઊંચાઈઓ પર લઈ જઈ રહ્યા હતા. આ જ કારણ છે કે આ મંદિરને તે યુગના સ્થાપત્ય અને ધર્મનું પ્રતીક માનવામાં આવે છે. તે સમયે મહાબલીપુરમ એક મુખ્ય બંદર શહેર પણ હતું, જે દરિયાઈ વેપારને સરળ બનાવતું હતું અને દરિયાકિનારે સ્થિત શોર મંદિર આ સમૃદ્ધિનું સાક્ષી હતું.

શિવ અને વિષ્ણુનો એક અનોખો સંગમ

ધાર્મિક રીતે શોર મંદિર મુખ્યત્વે ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર પરિસરમાં બે શિવલિંગ સ્થાપિત છે, જે તેની શૈવ પરંપરાને પ્રતિબિંબિત કરે છે. સાથે જે મંદિર પરિસરના એક ભાગમાં ભગવાન વિષ્ણુની અનંતશાયી પ્રતિમા છે. આ મંદિર શૈવ અને વૈષ્ણવ પરંપરાઓના મિશ્રણનું ઉદાહરણ આપે છે. દરિયાકિનારે સ્થિત મંદિરને પ્રકૃતિ અને ઈશ્વર વચ્ચેના ઊંડા જોડાણનું પ્રતીક પણ માનવામાં આવે છે.

દ્રવિડ શૈલી અને નંદીની હાજરી

શોર મંદિર ગ્રેનાઈટથી બનેલું છે અને સંપૂર્ણપણે દ્રવિડ સ્થાપત્ય શૈલીમાં છે. તેના ઊંચા શિખર, દિવાલો પર જટિલ કોતરણી અને મંદિરની આસપાસ મૂકવામાં આવેલી નંદીની મૂર્તિઓ તેની સૌથી મોટી વિશેષતાઓ છે. આ તેને માત્ર ભક્તો માટે જ નહીં, પરંતુ કલા અને ઈતિહાસમાં રસ ધરાવતા લોકો માટે પણ એક ખાસ આકર્ષણ બનાવે છે.

સાત પેગોડાઓની રહસ્યમય વાર્તા

શોર મંદિર સાથે સંકળાયેલી એક પ્રખ્યાત પૌરાણિક માન્યતા સાત પેગોડાઓની છે. એવું કહેવાય છે કે આ પ્રદેશમાં એક સમયે સાત ભવ્ય મંદિરો હતા, જેમાંથી છ સમુદ્રમાં ડૂબી ગયા હતા, જેના કારણે આજે ફક્ત શોર મંદિર જ દેખાય છે. 2004ની સુનામી પછી સમુદ્રમાંથી કેટલીક પ્રાચીન રચનાઓના અવશેષો મળી આવ્યા પછી આ દંતકથા વધુ મજબૂત બની હતી.

યુનેસ્કોની માન્યતા અને સ્થાપત્ય નિપુણતા

વર્ષ 1984માં શોર મંદિરને મહાબલીપુરમ સ્મારકોના જૂથમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવ્યું હતું. સદીઓથી દરિયાઈ મોજા, પવન અને કુદરતી આફતો છતાં, તેનું સુરક્ષિત રહેવું તે સમયના સ્થાપત્ય કૌશલ્યની શ્રેષ્ઠતાને પ્રતિબિંબિત કરે છે. આ જ કારણ છે કે શોર મંદિર ભારતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા તરીકે ગર્વથી ઊભું છે.