Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : These are the most haunted places in Ahmedabad

આ છે અમદાવાદના મોસ્ટ હોન્ટેડ પ્લેસ! અહીંથી પસાર થતા પહેલા ચેતજો

Timeછેલ્લું અપડેટ : 04 Feb 2025
લાઇવ ટીવીGoogle News
આ છે અમદાવાદના મોસ્ટ હોન્ટેડ પ્લેસ! અહીંથી પસાર થતા પહેલા ચેતજો

અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું અને પ્રખ્યાત શહેર છે. સાબરમતી નદીના કિનારે આવેલું આ શહેર એક સમયે 'કર્ણાવતી' તરીકે પણ જાણીતું હતું. તમને જણાવી દઈએ કે, તેની ગણતરી ભારતના કેટલાક પસંદગીના વિકસિત શહેરોમાં થાય છે. અમદાવાદમાં સાબરમતી આશ્રમ, જામા મસ્જિદ, સરખેજ રોઝા, ત્રણ દરવાજા, નળ સરોવર પક્ષી અભયારણ્ય જેવા ઘણા ફરવાલાયક સ્થળો છે.

App Store

પરંતુ આ સિવાય, અમદાવાદ શહેરમાં કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં કોઈ ભૂલથી પણ નથી જવા માંગતું, અહીં અમે અમદાવાદના કેટલાક ભૂતિયા સ્થળો વિશે વાત કરી રહ્યા છીએ જ્યાં લોકો દિવસ દરમિયાન પણ જવાનું ટાળે છે. ચાલો આ લેખ દ્વારા તમને અમદાવાદના સૌથી ભૂતિયા સ્થળો વિશે જણાવીએ.

સિગ્નેચર ફાર્મ

ફક્ત તે લોકો જ આ જગ્યાએ આવે છે જેમની પાસે હિંમત હોય છે. સ્થાનિક લોકો કહે છે કે અહીં વિચિત્ર ઘટનાઓ બનતી રહે છે. આ સ્થળ મોટાભાગે તેની અસામાન્ય ઘટનાઓને કારણે સમાચારમાં રહે છે. આ સ્થળ ત્યારે પ્રખ્યાત થયું જ્યારે નાના છોકરાઓનું એક ગ્રુપ સાંજે અહીં ફરવા આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે કોઈ અદ્રશ્ય શક્તિએ તેમને પોતાનો શિકાર બનાવ્યા હતા. જે પછી લોકો ત્યાં જતા પણ ડરે છે. લોકો માને છે કે સાંજે અહીંથી વિચિત્ર અવાજો આવે છે.

ચાંદખેડામાં આવેલું ભૂતિયા વૃક્ષ

આ ચાંદખેડાની એક ગલીની બાજુમાં છે, જ્યાંથી ઘણા વાહનો પસાર થાય છે. એવું કહેવાય છે કે અહીં એક જૂનું વૃક્ષ છે, જેના પર ભૂતનો પડછાયો છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ રાત્રે તેની નજીક જાય છે અને તે વૃક્ષની સામે થોડીવાર માટે જુએ છે,  તો તે વ્યક્તિના સપનામાં આત્મા દેખાવા લાગે છે અને તે વ્યક્તિ પાગલ થઈ જાય છે. આ ઝાડ જોવામાં પણ ખૂબ ડરામણું છે.

બગોદરા, અમદાવાદ-રાજકોટ રોડ

તમે બધાએ નેશનલ હાઇવે 47 પર આવેલા નાના શહેર બગોદરા વિશે સાંભળ્યું જ હશે. જ્યારે પણ તમે અમદાવાદથી રાજકોટ જશો, ત્યારે તમને આ જગ્યા જોવા મળશે. એવું કહેવાય છે કે આ હાઈવે ખતરનાક છે કારણ કે અહીં ઘણા અકસ્માતો થાય છે. રાત્રે વાહન ચલાવતા લોકો કહે છે કે અહીં વિચિત્ર અવાજો સંભળાય છે. આ અવાજો વાહનચાલકોનું ધ્યાન ભંગ કરે છે અને તેથી અહીં ઘણા અકસ્માતો થાય છે. રસ્તા પરથી પસાર થતા લોકો એવું કહે છે કે તેમને સફેદ સાડી પહેરેલી મહિલા અથવા ભિખારી જોવા મળે છે. તેમનું કહેવું છે કે અહીંના રસ્તાઓ પર રહસ્યમય મહિલાઓ અને ભિખારીઓ પર ધ્યાન ન આપવું જોઈએ.

નોંધ: આ તમામ માહિતી લોકમુખે ચર્ચાતિ વાતોને આધારે આપવામાં આવી છે, આમાંથી એકપણ જગ્યા વિશે અમે પુષ્ટિ નથી કરતા.