Travel Destination / મસૂરી કે નૈનીતાલ નહીં, ઉત્તરાખંડના આ સુંદર હિલ સ્ટેશનની મુલાકાત લેવાનો પ્લાન બનાવો

ઉત્તરાખંડના લોકપ્રિય હિલ સ્ટેશન જેમ કે નૈનીતાલ અને મસૂરી ઘણીવાર પ્રવાસીઓથી ભરેલા હોય છે. જો તમે શાંત અને આરામદાયક સ્થળ શોધી રહ્યા છો, જ્યાં તમે પ્રકૃતિની વાસ્તવિક સુંદરતાનો અનુભવ કરી શકો, તો આ વખતે તમે કાનાતાલ જઈ શકો છો.
દેહરાદૂનથી લગભગ 78 કિમી દૂર આવેલું આ નાનું ગામ ટિહરી ગઢવાલ જિલ્લામાં છે. આ સ્થળ તેની અજોડ સુંદરતા, પાઈન અને ઓકના ગાઢ જંગલો અને બરફથી ઢંકાયેલા શિખરોના અદ્ભુત દૃશ્યો માટે જાણીતું છે. અહીંની શાંત અને સ્વચ્છ હવા તમારા મનને તરત જ તાજગી આપશે.
કાનાતાલ શા માટે ખાસ છે?
કાનાતાલનું નામ અહીંના જૂના 'કાનાતાલ' તળાવ પરથી રાખવામાં આવ્યું હતું, જે હવે સુકાઈ ગયું છે. તેમ છતાં, આ સ્થળ તેની કુદરતી સુંદરતા અને શાંત વાતાવરણને કારણે પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. શહેરના જીવનની ધમાલથી દૂર થોડા દિવસો વિતાવવા માંગતા લોકો માટે તે એક પરફેક્ટ સ્થળ છે. અહીં તમે કુદરતની નજીક રહી શકો છો, પક્ષીઓનો કિલકિલાટ સાંભળી શકો છો અને રાત્રે તારાઓથી ભરેલા આકાશનો આનંદ માણી શકો છો.
કાનાતાલમાં જોવાલાયક સ્થળો
સુરકંડા દેવી મંદિર: આ મંદિર એક નાની ટેકરી પર આવેલું છે. અહીં પહોંચવા માટે ટૂંકું ટ્રેકિંગ કરવું પડે છે. મંદિર હિમાલયના શિખરો અને આસપાસની ખીણોના અદ્ભુત દૃશ્યો પ્રદાન કરે છે.
ટિહરી તળાવ: કાનાતાલથી થોડા અંતરે આવેલું, તે એશિયાના સૌથી મોટા માનવસર્જિત તળાવોમાંનું એક છે. તમે અહીં બોટિંગ અને જેટ સ્કીઈંગ જાવ વોટર સ્પોર્ટ્સનો આનંદ માણી શકો છો.
કોડાઈ જંગલ: આ જંગલ તેની કુદરતી સુંદરતા અને જૈવવિવિધતા માટે પ્રખ્યાત છે. તમે અહીં નેચર વોક પર જઈ શકો છો અને હિમાલયની સુંદર વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ જોઈ શકો છો.
કાનાતાલની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય
કાનાતાલની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય એપ્રિલથી જૂન અને સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચેનો છે. આ સમય દરમિયાન હવામાન ખુશનુમા હોય છે. જો તમે બરફવર્ષાનો આનંદ માણવા માંગતા હોv, તો તમે ડિસેમ્બરથી ફેબ્રુઆરી વચ્ચે આયોજન કરી શકો છો, જ્યારે આખો વિસ્તાર બરફની સફેદ ચાદરથી ઢંકાયેલો હોય છે.

