Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : If you go to Mathura then definitely explore these 5 places

Travel Tips / શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા જાવ, તો મંદિરો ઉપરાંત આ 5 સ્થળો પણ કરો એક્સપ્લોર

Timeછેલ્લું અપડેટ : 11 May 2025
લાઇવ ટીવીGoogle News
Travel Tips / શ્રી કૃષ્ણ જન્મભૂમિ મથુરા જાવ, તો મંદિરો ઉપરાંત આ 5 સ્થળો પણ કરો એક્સપ્લોર

મથુરા-વૃંદાવન અને બરસાના એવા સ્થળો છે જ્યાં દરેક વ્યક્તિ પરિવાર સાથે એકવાર મુલાકાત લેવા માંગે છે. આ સ્થળોએ તમને ભક્તિમય વાતાવરણ જોવા મળશે. આ સ્થળો ભક્તો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને તેથી જ સ્થાનિક અને વિદેશી પ્રવાસીઓ અહીં આવે છે. જોકે મોટાભાગના લોકો અહીં ફક્ત મંદિરોની મુલાકાત લેવા માટે આવે છે, પરંતુ બીજી ઘણી જગ્યાઓ છે જે એક્સપ્લોર કરી શકાય છે. આ સ્થળોની મુલાકાત તમારા માટે આધ્યાત્મિક અને શાંતિપૂર્ણ અનુભવ પણ રહેશે. જો તમે પણ શ્રી કૃષ્ણ જન્મભૂમિની યાત્રા કરવાનું આયોજન કરી રહ્યા છો, તો જાણો મંદિરો સિવાય તમે કયા અન્ય સ્થળોની મુલાકાત લઈ શકો છો.

App Store

મથુરામાં લોકો શ્રી કૃષ્ણ જન્મભૂમિના દર્શન કરવા જાય છે. ચાલો જાણીએ, આ પ્રખ્યાત મંદિરો સિવાય, મથુરાની યાત્રા દરમિયાન તમારે તમારી ટ્રાવેલ લિસ્ટમાં કયા સ્થળોનો સમાવેશ કરવો જોઈએ.

અહીં બોટિંગનો આનંદ માણો

જો તમે મથુરા ફરવા જાઓ છો, તો તમે અહીં બોટિંગનો આનંદ પણ માણી શકો છો. યમુના નદીમાં બોટિંગ માટે ઘાટ બનાવવામાં આવ્યો છે જે ખૂબ જ લોકપ્રિય સ્થળ છે. આ ઉપરાંત, જો તમે યમુનામાં બોટિંગ કરવા માંગતા હોવ, તો તમે ગોકુળમાં બનેલા બ્રહ્માંડ ઘાટ પર જઈ શકો છો. આ પણ એક સરસ જગ્યા છે. અહીં તમે નંદ ભવન જોઈ શકો છો.

રમણરેતી

તમારે ગોકુળમાં રમણરેતીની મુલાકાત લ્રવી જોઈએ. આ એવી જગ્યા છે જ્યાં તમારું હૃદય ખુશ થઈ જશે. અહીં એક મોટું રેતીનું મેદાન છે જ્યાં લોકો રેતીમાં રમે છે. આ ઉપરાંત, તમે રમણરેતીમાં ડીયર પાર્કની મુલાકાત લઈ શકો છો. તમે અહીં હરણને ખવડાવી પણ શકો છો.

કુસુમ સરોવર 

ગોવર્ધન અને રાધા કુંડની વચ્ચે સ્થિત કુસુમ સરોવરની મુલાકાત લેવી પણ તમારા માટે એક શાનદાર અનુભવ રહેશે. અહીં નીચે જવા માટે સીડીઓ છે. તમે અહીં સ્નાન પણ કરી શકો છો અને તરવાનો આનંદ પણ માણી શકો છો.

મથુરા મ્યુઝિયમ

જો તમને ઈતિહાસ સંબંધિત માહિતી જાણવામાં રસ હોય, તો મથુરાના મંદિરો ઉપરાંત, તમે મથુરા મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. અહીં તમે અદ્ભુત સ્થાપત્ય અને કલાકૃતિઓ જોઈ શકો છો અને તેમની સાથે સંબંધિત માહિતી પણ મેળવી શકો છો.

કંસ કિલ્લો

તમે મથુરામાં આવેલા કંસ કિલ્લાની મુલાકાત લઈ શકો છો જે ખૂબ જ પ્રાચીન છે. આ કિલ્લો સ્થાપત્યનો એક અનોખો નમૂનો છે. યોગ્ય જાળવણીના અભાવે તેની હાલત જર્જરિત થઈ ગઈ હોવા છતાં, આજે પણ પ્રવાસીઓ કંસ કિલ્લાની મુલાકાત લેવાનો આનંદ માણે છે. આ સ્થળ આકર્ષણનું કેન્દ્ર છે.