Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Famous temples of Lord Shiva in abroad

Temples / ભારત જ નહીં, આ દેશોમાં પણ છે ભગવાન શિવના મંદિર; મહાશિવરાત્રી પર હોય છે ભારે ભીડ

Timeછેલ્લું અપડેટ : 10 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Temples / ભારત જ નહીં, આ દેશોમાં પણ છે ભગવાન શિવના મંદિર; મહાશિવરાત્રી પર હોય છે ભારે ભીડ
સોર્સ : GSTV

મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર 15 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે શિવભક્તો ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે મંદિરોમાં જાય છે. તમે ભારતમાં ઘણા શિવ મંદિરો જોયા હશે. પરંતુ શું તમે જાણો છો કે ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભગવાન શિવના ઘણા મંદિરો છે? હા, જ્યારે આપણે સામાન્ય રીતે શિવ મંદિરો વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે ઘણીવાર કેદારનાથ, કાશી વિશ્વનાથ, મહાકાલ અથવા રામેશ્વરમ જેવા પ્રખ્યાત તીર્થસ્થાનો વિશે વિચારીએ છીએ. પરંતુ અમુક લોકો જ જાણે છે કે ભગવાન શિવના ઘણા પ્રાચીન અને પ્રખ્યાત મંદિરો ભારતની બહાર પણ છે, દર વર્ષે મોટી સંખ્યામાં ભક્તો તેની મુલાકાત લે છે.

App Store

વિદેશમાં આ ભગવાન શિવના મંદિરોની પોતાની અનોખી માન્યતાઓ ઈતિહાસ અને ધાર્મિક મહત્ત્વ છે. જો તમે મુસાફરીના શોખીન છો અને ધાર્મિક યાત્રાનો અનુભવ કરવા માંગો છો, તો તમે વિદેશમાં સ્થિત ભગવાન શિવના પ્રખ્યાત મંદિરોની મુલાકાત લઈ શકો છો. ચાલો જાણીએ કે ભગવાન શિવના અન્ય મંદિરો ક્યાં આવેલા છે.

નેપાળમાં પશુપતિનાથ મંદિર

નેપાળની રાજધાની કાઠમંડુમાં સ્થિત પશુપતિનાથ મંદિર ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર અને પ્રાચીન મંદિરોમાંનું એક માનવામાં આવે છે. આ મંદિર યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ પણ છે અને બાગમતી નદીના કિનારે સ્થિત હોવાને કારણે તેનું ધાર્મિક મહત્ત્વને વધી જાય છે. અહીં ભગવાન શિવની પૂજા પશુપતિના રૂપમાં કરવામાં આવે છે. મહાશિવરાત્રીના પ્રસંગે ભારત અને અન્ય દેશના લાખો ભક્તો મંદિરની મુલાકાત લે છે. ભારતીયો માટે વિઝા-ફ્રી પ્રવેશ તેની મુલાકાત લેવાનું સરળ બનાવે છે.

ઇન્ડોનેશિયામાં પ્રમબનન મંદિર

પ્રમબનન મંદિરને ઇન્ડોનેશિયામાં સૌથી મોટું હિન્દુ મંદિર સંકુલ માનવામાં આવે છે. આ મંદિર મુખ્યત્વે ભગવાન શિવને સમર્પિત છે, જેમને અહીં મહાદેવ તરીકે પૂજવામાં આવે છે. જાવા ટાપુ પર સ્થિત આ મંદિરની વાસ્તુકલા ખૂબ જ ભવ્ય અને અદ્ભુત છે. મંદિરની દિવાલો પરના શિલ્પો અને કલાકૃતિઓ ભારતીય સંસ્કૃતિ અને રામાયણની વાર્તાઓ દર્શાવે છે.

ઓકલેન્ડમાં ભગવાન શિવનું મંદિર

ઓકલેન્ડમાં ભગવાન શિવનું મંદિર વિદેશમાં રહેતા ભારતીય સમુદાય માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. આ મંદિર આધુનિક શૈલીમાં બનેલ છે, પરંતુ અહીં ભગવાન શિવની પૂજા પરંપરાગત હિન્દુ વિધિઓ સાથે કરવામાં આવે છે. અહીંનું શાંત વાતાવરણ તમને મોહિત કરશે. અહીં દૈનિક પૂજા, અભિષેક અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે.

મોરેશિયસમાં સાગર શિવ મંદિર

મોરેશિયસમાં સાગર શિવ મંદિર સમુદ્રની મધ્યમાં આવેલું છે, જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શિવના સમુદ્રી સ્વરૂપનું ચિત્રણ કરે છે અને અહીંનો નજારો એકદમ મનમોહક છે. અહીં ચારેય તરફ પાણી જ જોવા મળે છે, જે તમને આધ્યાત્મિક શાંતિ તેમજ પ્રકૃતિના સુંદર દૃશ્યોનો અનુભવ કરાવે છે. મહાશિવરાત્રી પર અહીં એક અનોખું દૃશ્ય જોવા મળે છે.

થાઇલેન્ડમાં પ્રેહ વિહાર શિવ મંદિર

કંબોડિયા-થાઇલેન્ડ સરહદની નજીક સ્થિત આ મંદિર તેના પ્રાચીન અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. તે હિન્દુ અને ખ્મેર સંસ્કૃતિઓનું અનોખું મિશ્રણ છે. અહીં સ્થાનિક પરંપરાઓ અનુસાર ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પર્વતીય વિસ્તારમાં સ્થિત આ મંદિર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ઐતિહાસિક દૃષ્ટિકોણથી પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

શ્રીલંકામાં મુન્નેશ્વરમ મંદિર

શ્રીલંકામાં મુન્નેશ્વરમ મંદિર ભગવાન શિવને સમર્પિત એક મુખ્ય તીર્થસ્થાન છે. આ મંદિર રામાયણ કાળનું માનવામાં આવે છે, અને અહીં શિવલિંગની પૂજા કરવામાં આવે છે. સ્થાનિક લોકો તેમજ ભારતીય ભક્તો મોટી સંખ્યામાં અહીં આવે છે. અહીં નવરાત્રી અને મહાશિવરાત્રી જેવા તહેવારો દરમિયાન ખાસ પૂજા અને સમારોહ યોજવામાં આવે છે, જે અહીંના દૃશ્યોને અદ્ભુત બનાવે છે.