Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / પ્રવાસ : Explore this beautiful hill station of Uttarakhand

મસૂરી નહીં ઉત્તરાખંડના આ સુંદર હિલ સ્ટેશનની લો મુલાકાત, યાદગાર રહેશે અહીંની ટ્રિપ

Timeછેલ્લું અપડેટ : 15 Jan 2025
લાઇવ ટીવીGoogle News
મસૂરી નહીં ઉત્તરાખંડના આ સુંદર હિલ સ્ટેશનની લો મુલાકાત, યાદગાર રહેશે અહીંની ટ્રિપ

ઉત્તરાખંડમાં ઘણા સુંદર હિલ સ્ટેશનો છે, પરંતુ તાજેતરના સમયમાં, મસૂરી, નૈનિતાલ અને ઔલી જેવા સ્થળોએ ભીડ ઘણી વધી ગઈ છે. આવી સ્થિતિમાં, જો તમે તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી થોડો સમય કાઢીને આરામદાયક ટ્રિપનું આયોજન કરી રહ્યા છો, તો મસૂરીથી 62 કિમીના અંતરે આવેલું આ સુંદર હિલ સ્ટેશન તમારા માટે એક યોગ્ય સ્થળ છે. તમે અહીં તમારા પરિવાર અથવા મિત્રો સાથે એક યાદગાર ટ્રિપનું આયોજન કરી શકો છો.

App Store

આ પણ વાંચો: બાળકોને મહા કુંભ મેળામાં લઈ જઈ રહ્યા છો? તો તેનું ધ્યાન રાખવા માટે અપનાવો આ ટિપ્સ

અહીં અમે ધનૌલ્ટી વિશે વાત કરી રહ્યા છીએ. આ એક સુંદર હિલ સ્ટેશન છે, જે મસૂરીથી બહુ દૂર નથી. આવી સ્થિતિમાં, જો તમે મસૂરી અને ઔલી જેવા સ્થળોની મુલાકાત નથી લેવા માંગતા, તો આ સ્થળ તમારા માટે એક સારો વિકલ્પ છે. ઉત્તરાખંડના ગઢવાલ હિમાલય પર્વતમાળામાં સ્થિત, ધનૌલ્ટી તેના લીલાછમ ઢોળાવ, તાજી હવા, શાંત અને એકાંત વાતાવરણ અને મનોહર પહાડી દૃશ્યો માટે જાણીતું છે.

ધનૌલ્ટી ક્યારે જવું?

નવેમ્બરથી ફેબ્રુઆરીના શિયાળાના મહિનાઓ દરમિયાન ધનૌલ્ટીનું તાપમાન 1થી 7 ડિગ્રીની વચ્ચે રહે છે. ધનૌલ્ટીનું હવામાન ખૂબ જ ઠંડુ હોય છે અને અહીં ખૂબ બરફવર્ષા થાય છે. જો તમને એડવેન્ચર ગમે છે તો અહીંની મુલાકાત લેવા માટે શિયાળો બેસ્ટ છે.

જ્યારે ઉનાળા દરમિયાન ધનૌલ્ટીનું તાપમાન 7થી 31 ડિગ્રી વચ્ચે રહે છે. આ સમયે રાત ઠંડી હોય છે અને દિવસો ગરમ હોય છે જેના કારણે ધનૌલ્ટીમાં ફરવાલાયક સ્થળોને એક્સપ્લોર કરવા સરળ બને છે. બાળકો કે વૃદ્ધો સાથે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ધનૌલ્ટીની ટ્રિપ માટે ઉનાળો બેસ્ટ સમય હોઈ શકે છે.

ધનૌલ્ટીમાં જોવા લાયક સ્થળો

સુરકંડા દેવી મંદિર

સુરકંડા દેવી મંદિર ભક્તો અને ટ્રેકર્સ બંનેમાં ખૂબ પ્રખ્યાત છે. મોટાભાગના પ્રવાસીઓ માટે ધનૌલ્ટીમાં ફરવાલાયક બેસ્ટ સ્થળોમાંનું એક છે. દેવી સતીને સમર્પિત આ પવિત્ર મંદિર શક્તિપીઠોમાંનું એક છે.

ધનૌલ્ટી એડવેન્ચર પાર્ક

ધનૌલ્ટી એડવેન્ચર પાર્ક એડવેન્ચર પ્રેમીઓ માટે એક બેસ્ટ સ્થળ છે. પ્રવાસીઓ અહીં રેપલિંગ, માઉન્ટેન બાઈકિંગ, રોક ક્લાઇમ્બિંગ, સ્કાય વોકિંગ, ઝિપ સ્વિંગ અને વેલી ક્રોસિંગ જેવી પ્રવૃત્તિઓ કરી શકે છે.

જબરખેત નેચર રિઝર્વ

જો તમને પ્રકૃતિ ગમે છે તો આ સ્થળ તમારા માટે એક સારો વિકલ્પ છે. આ મનમોહક સ્થળ 300 પ્રજાતિઓના જંગલી ફૂલો, 100 પ્રજાતિના પક્ષીઓ અને લગભગ 60 પ્રકારના મશરૂમનું ઘર છે.

ધનૌલ્ટી કેવી રીતે પહોંચવું?

તમે ધનૌલ્ટી સુધી રોડ માર્ગે પહોંચી શકો છો. આવી સ્થિતિમાં, જો તમે ધનૌલ્ટીની રોડ ટ્રિપનું આયોજન કરી રહ્યા છો, તો તમે દેહરાદૂન-મસૂરી રૂટ અથવા ઋષિકેશ-ચંબા રૂટ લઈ શકો છો. પરંતુ જો તમે ટ્રેન દ્વારા મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો નજીકનું રેલ્વે સ્ટેશન દહેરાદૂનમાં છે, જે ધનૌલ્ટીથી 60 કિમી દૂર છે. આ ઉપરાંત, ઋષિકેશ રેલ્વે સ્ટેશન ધનૌલ્ટીથી 83 કિમી દૂર છે. આ રેલ્વે સ્ટેશનોથી તમે બસ અથવા ટેક્સી દ્વારા ધનૌલ્ટી જઈ શકો છો. જો તમે હવાઈ મુસાફરી કરી રહ્યા છો, તો દેહરાદૂનનું જોલી ગ્રાન્ટ એરપોર્ટ સૌથી નજીકનું એરપોર્ટ છે. તમે અહીંથી ટેક્સી લઈને ધનૌલ્ટી જઈ શકો છો.