Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સંબંધ : Is social media becoming the enemy of relationships?

Relationship Tips: સોશિયલ મીડિયા બની રહ્યું છે સંબંધોનું દુશ્મન? રીલ્સ અને સ્ટેટસના ચક્કરમાં કેમ તૂટી રહ્યા છે કપલ્સ?

Timeછેલ્લું અપડેટ : 20 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Relationship Tips: સોશિયલ મીડિયા બની રહ્યું છે સંબંધોનું દુશ્મન? રીલ્સ અને સ્ટેટસના ચક્કરમાં કેમ તૂટી રહ્યા છે કપલ્સ?
સોર્સ : gstv

આજના સમયમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. દિવસની શરૂઆતથી લઈને રાત્રે સૂવા સુધી ઘણા લોકો રીલ્સ જોવામાં, સ્ટોરી અપડેટ કરવામાં અને સ્ટેટસ શેર કરવામાં વ્યસ્ત રહે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર 30 સેકન્ડની રીલ અથવા 24 કલાકનું સ્ટેટસ તમારા સંબંધો પર કેટલી ઊંડી અસર કરી શકે છે?

App Store

ગેરસમજ ધીમે-ધીમે સંબંધોમાં પ્રવેશ કરે છે

આજના અનેક દંપતી અજાણતાં સોશિયલ મીડિયા પર દેખાતી “પરફેક્ટ લાઇફ” સાથે પોતાના જીવનની સરખામણી કરવા લાગ્યા છે. પરિણામે અસંતોષ, અપેક્ષાઓ અને ગેરસમજ ધીમે-ધીમે સંબંધોમાં પ્રવેશ કરે છે. સોશિયલ મીડિયા પર જોવા મળતી દરેક વસ્તુ વાસ્તવિક જીવનનું પ્રતિબિંબ હોતી નથી, છતાં ઘણી વખત લોકો તેને સાચું માનીને પોતાના જીવનસાથી પાસેથી પણ એવી જ અપેક્ષા રાખે છે.

મેસેજ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવે છે

બીજી તરફ, ઘણા લોકો મતભેદ કે ગુસ્સો વ્યક્ત કરવા માટે સીધી વાતચીત કરવાને બદલે વોટ્સએપ સ્ટેટસ અથવા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનો સહારો લે છે. દુઃખી કોટ્સ, ઇમોશનલ ગીતો અથવા સંકેત આપતા મેસેજ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરવામાં આવે છે. આવી આદતથી સમસ્યાનું સમાધાન થતું નથી, પરંતુ બંને વચ્ચેનું અંતર વધુ વધી શકે છે.

મનોવિજ્ઞાન મુજબ સતત ડિજિટલ સરખામણી વ્યક્તિમાં અપૂરતું હોવાનો ભાવ, આત્મવિશ્વાસમાં ઘટાડો અને સંબંધોમાં અસંતોષ પેદા કરી શકે છે. જ્યારે જીવનસાથી પોતાની જવાબદારીઓ અને દૈનિક સંઘર્ષ વચ્ચે જીવન જીવતો હોય, ત્યારે સોશિયલ મીડિયા પર દેખાતી ચમકદાર દુનિયા સાથે તેની તુલના કરવી યોગ્ય નથી.

ખુલ્લા મનથી વાતચીત કરો

આધ્યાત્મિક વિચારક ઓશો પણ કહે છે કે સાચો પ્રેમ દેખાડા કરતાં વિશ્વાસ, સ્થિરતા અને સમર્પણમાં રહેલો છે. દરેક સંબંધ ફિલ્મી અથવા સોશિયલ મીડિયા જેવા રોમેન્ટિક ન હોઈ શકે, પરંતુ સાચો સાથી એ છે જે સુખ-દુઃખમાં સાથે ઊભો રહે.

સ્ટેટસ થોડા સમય માટે જ હોય છે

નિષ્ણાતો સલાહ આપે છે કે જો કોઈ રીલ અથવા સ્ટેટસ જોઈને તમને તમારા જીવનસાથી પ્રત્યે નારાજગી થાય તો તરત પ્રતિક્રિયા આપવાને બદલે થોડો સમય લો. ખુલ્લા મનથી વાતચીત કરો, એકબીજાની લાગણીઓને સમજો અને સોશિયલ મીડિયા કરતાં વાસ્તવિક સંબંધોને વધુ મહત્વ આપો. કારણ કે રીલ્સ અને સ્ટેટસ થોડા સમય માટે હોય છે, જ્યારે વિશ્વાસ અને સાથીદારી આખી જિંદગી માટે હોય છે.