VIDEO: Health/ હવે નવરાત્રીના ઉપવાસનાં વારંવાર નહીં લાગે ભૂખ! તમારા ડાયટમાં ઉમેરો આ પ્રોટીનયુક્ત વસ્તુઓ
નવરાત્રીના 9 દિવસના ઉપવાસ દરમિયાન શરીરને એક્ટિવ રાખવું એક પડકાર બની જાય છે. ઘણીવાર લોકો વ્રત દરમિયાન સાબુદાણા વડા અથવા કુટ્ટુની પૂરી જેવી તળેલી વસ્તુઓ વધુ ખાય છે, જેના કારણે સુસ્તી અને ભારેપણું અનુભવાય છે. હેલ્થ એક્સપર્ટ્સના મતે, ઉપવાસ દરમિયાન શરીરને યોગ્ય માત્રામાં પ્રોટીન મળવું ખૂબ જરૂરી છે. પ્રોટીન માત્ર સ્નાયુઓના રિકવરીમાં જ મદદ નથી કરતું, પરંતુ તે મેટાબોલિઝમને પણ તંદુરસ્ત રાખે છે. જો તમે ઈચ્છો છો કે વ્રત દરમિયાન તમને વારંવાર ભૂખ ન લાગે, તો તમારે તમારી થાળીમાં કેટલીક ખાસ હાઈ-પોટીન વસ્તુઓને સ્થાન આપવું જોઈએ.
પનીરનું સેવન કરો
પ્રોટીન માટે પનીર સૌથી ઉત્તમ વિકલ્પ છે. વ્રત દરમિયાન તમે કાચું પનીર અથવા તેને હળવું શેકીને (રોસ્ટ કરીને) ખાઈ શકો છો. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે, જે તમને તરત જ એનર્જી આપવાનું કામ કરે છે. તમે તેને સલાડ તરીકે પણ ડાયટમાં સામેલ કરી શકો છો.
મખાણા છે સુપરફૂડ
મખાણા લો-કેલરી હોવાની સાથે પ્રોટીન અને ફાઈબરનો ખજાનો છે. તેને ડ્રાય રોસ્ટ કરીને ખાવાથી પેટ ભરેલું લાગે છે. મખાણાને તમે દૂધ સાથે ખીર બનાવીને પણ લઈ શકો છો, જેનાથી શરીરને જરૂરી એમિનો એસિડ મળે છે.
મગફળીથી મળશે તાકાત
મગફળીને 'ગરીબોની બદામ' કહેવામાં આવે છે. તેમાં ગુડ ફેટ્સ અને પ્રોટીનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. મુઠ્ઠીભર શેકેલી મગફળી ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. જોકે, ધ્યાન રાખો કે તેને વધુ તેલ કે ઘીમાં તળવાને બદલે ડ્રાય રોસ્ટ જ કરવી.
દહીં અને છાશ
ડેરી પ્રોડક્ટ્સ માત્ર પ્રોબાયોટિક્સથી ભરપૂર નથી હોતી પણ પ્રોટીનનો પણ સારો સ્ત્રોત છે. બપોરના સમયે એક વાટકી દહીં અથવા એક ગ્લાસ સિંધવ મીઠાવાળી છાશ પીવાથી શરીર હાઇડ્રેટેડ રહે છે અને ભૂખ કંટ્રોલમાં રહે છે.
કુટ્ટુ અને રાજગરો
કુટ્ટુનો લોટ અને રાજગરો બંને ગ્લુટેન-ફ્રી અનાજ છે જે વ્રતમાં ખવાય છે. અન્ય ફરાળી વસ્તુઓની સરખામણીમાં તેમાં પ્રોટીન વધુ હોય છે. તેની પૂરી બનાવવાને બદલે તમે ચીલા અથવા રોટલી બનાવીને ખાઓ, જે વધુ હેલ્ધી વિકલ્પ છે.

