Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : If you want soft skin, then definitely try this remedy.

કોમળ ત્વચા જોઈએ છે તો આ ઉપાય જરૂર કરો, વધતી ઉંમરમાં પણ ચહેરો નિખરવા લાગશે

Timeછેલ્લું અપડેટ : 19 Dec 2025
લાઇવ ટીવીGoogle News
કોમળ ત્વચા જોઈએ છે તો આ ઉપાય જરૂર કરો, વધતી ઉંમરમાં પણ ચહેરો નિખરવા લાગશે
સોર્સ : gstv

વધતી ઉંમર સાથે ચહેરા પર કરચલીઓ આવી એ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ કેટલીક વાર ખરાબ જીવનશૈલી, તણાવ, ઊંઘનો અભાવ અને સ્કિન કેરમાં બેદરકારીને કારણે પણ આ સમસ્યા ઉંમર પહેલા દેખાવા લાગે છે.

App Store

જો તમે પણ તમારા ચહેરા પરની કરચલીઓથી પરેશાન છો, તો કેટલાક સરળ ઘરેલું ઉપાયો અપનાવીને, તમારી ત્વચાને ફરીથી યંગ અને સોફ્ટ બનાવી શકો છો.

એલોવેરામાં રહેલા એન્ટીઑકિસડન્ટ અને વિટામિન E ત્વચાને ઊંડે સુધી પોષણ આપે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર એલોવેરા જેલ લગાવો અને હળવા હાથે માલિશ કરો. આ કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે અને તમારી ત્વચાને નેચરલ ગ્લો આપે છે.

મધ ત્વચાને હાઇડ્રેટ કરે છે, જ્યારે લીંબુમાં રહેલું વિટામિન C ત્વચાને સુધારવામાં મદદ કરે છે. લીંબુના રસના થોડા ટીપાં એક ચમચી મધમાં ભેળવીને તમારા ચહેરા પર લગાવો. 10-15 મિનિટ બાદ તેને ધોઈ લો. આનાથી તમારી ત્વચા ફ્રેશ અને યંગ દેખાશે.

નાળિયેર તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવામાં અને કોલેજન વધારવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે, નાળિયેર તેલના થોડા ટીપાં લો અને તમારા ચહેરા પર હળવા હાથે માલિશ કરો. આ ત્વચાને નરમ બનાવે છે અને ધીમે ધીમે કરચલીઓ ઘટાડે છે.

આ સિવાય દિવસભર પૂરતું પાણી પીવું અને 7-8 કલાકની ઊંઘ લેવાથી ત્વચા સ્વસ્થ રહે છે. આનાથી ત્વચામાં નમી જળવાઈ રહે છે અને કરચલીઓ વહેલી નથી પડતી.

નોંધ: આ સમાચાર માત્ર તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.