Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / જીવનશૈલી / સૌંદર્ય : Apply this face pack a day before Karwa Chauth to get glowing skin

Beauty Tips / કરવા ચોથ પર ચંદ્ર જેવો ચમકશે તમારો ચહેરો, એક દિવસ પહેલા લગાવો આ ફેસ પેક

Timeછેલ્લું અપડેટ : 09 Oct 2025
લાઇવ ટીવીGoogle News
Beauty Tips / કરવા ચોથ પર ચંદ્ર જેવો ચમકશે તમારો ચહેરો, એક દિવસ પહેલા લગાવો આ ફેસ પેક
સોર્સ : GSTV

આ વર્ષે કરવા ચોથનો તહેવાર 10 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. આ દિવસ પતિ-પત્ની વચ્ચેના અતૂટ પ્રેમનું પ્રતીક છે. આ દિવસે સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત કરે છે. દરેક સ્ત્રી કરવા ચોથ પર સુંદર દેખાવા માંગે છે. તેથી, સ્ત્રીઓ પોતાના રંગને નિખારવા માટે મોંઘી ટ્રીટમેન્ટ અને ફેશિયલનો આશરો લે છે. જોકે, આ સમય દરમિયાન પાર્લરમાં ભીડ હોવાને કારણે કેટલીક સ્ત્રીઓ ત્યાં જવાનું ટાળે છે અને ઘરેલું ઉપાયનો આશરો લે છે.

App Store

જો તમે પણ આ કરવા ચોથ પર તમારા ચહેરા પર ચંદ્ર જેવો ચમક ઈચ્છતા હોવ, તો વધારે પ્રયત્ન કરવાની જરૂર નથી. કરવા ચોથના એક દિવસ પહેલા કુદરતી વસ્તુમાંથી બનેલો ફેસ પેક લગાવો. તે ફક્ત તમારા રંગને જ નહીં નિખારે, પરંતુ તમારા ચહેરા પર કુદરતી ચમક પણ લાવશે. ચાલો તમને આ ફેસ પેક વીસ જણાવીએ.

ચણાના લોટનો ફેસ પેક

કરવા ચોથ પર ચંદ્ર જેવી ચમક મેળવવા માટે, તમે એક દિવસ પહેલા ચણાના લોટનો ફેસ પેક લગાવી શકો છો. ચણાનો લોટ નેચરલ ક્લીન્ઝર તરીકે કામ કરે છે. તે ડેડ સ્કિનને દૂર કરે છે, ડાઘ ઘટાડે છે અને તમારા ચહેરા પર ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે. તેને તૈયાર કરવા માટે, એક બાઉલમાં ચણાનો લોટ લો, તેમાં ટામેટાંનો રસ, દહીં અને ગુલાબજળ ઉમેરી પેસ્ટ બનાવી લો. હવે તેને તમારા ચહેરા અને ગરદન પર સારી રીતે લગાવો. તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને ધોઈ લો. રાત્રે સૂતા પહેલા સીરમ લગાવો.

મસૂરની દાળનો ફેસ પેક

મસૂરની દાળ તમારા રંગને નિખારવા માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. તે એક ઉત્તમ એક્સફોલિએટર તરીકે કામ કરે છે, તે ડેડ સ્કિન સેલ્સને દૂર કરે છે અને તમારા ચહેરાને કુદરતી ચમક આપે છે. તેમાં બ્લીચિંગ એજન્ટ પણ હોય છે. તેને તૈયાર કરવા માટે, મસૂરની દાળ લો અને તેને મિક્સરમાં પીસી લો. આ પચ્ચી તેમાં ટામેટાંનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી, ધીમે-ધીમે સ્ક્રબ કરો અને ચહેરો ધોઈ લો.

ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.