VIDEO : યોગી આદિત્યનાથે કરી વિશેષ પૂજા
સોર્સ : Gstv
મધ્યપ્રદેશના દતિયામાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રસિદ્ધ મા પીતાંબરા પીઠની મુલાકાત લીધી હતી. આ પવિત્ર ધામમાં પહોંચીને તેમણે મા બગલામુખીના ચરણોમાં શિશ નમાવી વિધિવત પૂજા-અર્ચના કરી હતી. પોતાની આ ધાર્મિક યાત્રા દરમિયાન મુખ્યમંત્રીએ મા પીતાંબરાના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે સુપ્રસિદ્ધ વન ખંડેશ્વર મહાદેવ મંદિરમાં જઈને ભગવાન શિવનો જલાભિષેક કર્યો હતો અને રાજ્ય તેમજ દેશની સુખ-શાંતિ માટે પ્રાર્થના કરી હતી. યોગી આદિત્યનાથના આ આગમનને લઈને સ્થાનિક ભક્તો અને વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાના કડક વ્યવસ્થા કરવામાં આવ્યા હતા.

