VIDEO: રાંચી કેમ નથી જતાં રાહુલ ગાંધી?, ભાજપનો પલટવાર
સોર્સ : gstv
જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શનને લઈને કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં સરકાર પર વિદ્યાર્થીઓનો અવાજ દબાવવાનો અને શાંતિપૂર્ણ પ્રદર્શન કરનારાઓ સામે કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ અને પેપર લીક જેવા મુદ્દાઓ ઉઠાવનારા વિદ્યાર્થીઓની વાત સાંભળવાની માંગ કરી હતી. બીજી તરફ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીના આરોપોને ફગાવી દીધા અને પ્રદર્શન દરમિયાન કોઈ ફાયરિંગ થઈ ન હોવાનું જણાવ્યું. સાથે જ તેમણે રાહુલ ગાંધીને ઝારખંડના વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણવા માટે રાંચી જવાની સલાહ પણ આપી.

