VIDEO: ક્રિકેટ એસોસિએશનો પર કેમ લાગુ ન થઈ શકે રમતગમત કાયદો? સુપ્રીમ કોર્ટે BCCI અને સ્ટેટ એસોસિએશનો પાસે માગ્યો જવાબ
સૂપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને રાજ્ય ક્રિકેટ એસોસિએશનોને પૂછ્યું છે કે તેઓ રાષ્ટ્રીય રમતગમત વહીવટ અધિનિયમ 2025ના દાયરામાં શા માટે આવી શકતા નથી? મુખ્ય ન્યાયાધીશ સૂર્ય કાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનાની ખંડપીઠે BCCIના મામલામાં કેટલીક ક્રિકેટ સંસ્થાઓ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. ખંડપીઠે BCCI અને રાજ્ય એસોસિએશનોના વકીલોને એ અંગે સૂચના મેળવવા જણાવ્યું હતું કે તેમના હોદ્દેદારોની સેવાની શરતો 2025ના એ કાયદા હેઠળ કેમ ન આવવી જોઈએ જે હવે લાગુ થઈ ચૂક્યો છે. અદાલત 2014માં દાખલ કરાયેલી BCCI સંબંધિત એક અરજી પર સુનાવણી કરી રહી છે અને સમયસમય પર આ મામલામાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. આ પહેલાં અદાલતે સુધારાના ઉપાયો સૂચવવા માટે પૂર્વ સીજેઆઈ જસ્ટિસ આર. એમ. લોઢાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી. સમિતિને સોંપાયેલી જવાબદારીઓમાં BCCI માટે બંધારણ તૈયાર કરવાનો પણ સમાવેશ થતો હતો. અદાલતે BCCIના માળખા, સંગઠન અને કામગીરીમાં સુધારા સંબંધિત સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યો હતો.

