VIDEO: જમ્મુ: અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ
સોર્સ : gstv
જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાન અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શ્રી અમરનાથ યાત્રા સાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવી હતી . હવામાન વિભાગની ચેતવણી બાદ જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી શ્રદ્ધાળુઓ જતી નવી જથ્થાની રવાનાગી પર રોક લગાવાઈ હતી . પહલગામ અને બાલતાલ બંને માર્ગો પર યાત્રા અટકાવવામાં આવી છે. તંત્રે યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ રોકાવા અને હવામાન સામાન્ય થાય ત્યાં સુધી મુસાફરી ન કરવાની કડક સલાહ આપી હતી

