VIDEO: પુણેમાં ભક્ત નિવાસ પાસે ફસાયેલા 20 પોલીસકર્મીઓનું કરાયું રેસક્યુ
સોર્સ : gstv
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે સંત જ્ઞાનેશ્વર મહારાજ સમાધિ મંદિર ભક્ત નિવાસ ખાતે 20 પોલીસ કર્મચારીઓ ફસાઈ ગયા હતા. સતત વરસતા વરસાદ અને પાણી ભરાવાના કારણે પરિસ્થિતિ ગંભીર બની હતી. ઘટનાની જાણ થતાં જ PMRDA ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમની ઝડપી કાર્યવાહીથી તમામ પોલીસ કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. વહીવટી તંત્ર દ્વારા વિસ્તારમાં સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

