VIDEO: પહેલગામ હુમલાની પ્રથમ વરસી, સમગ્ર દેશ શોક અને શહીદોને કરી રહ્યો છે યાદ
સોર્સ : gstv
પહેલગામમાં થયેલા ભીષણ આતંકી હુમલાની પ્રથમ વરસી પર સમગ્ર દેશ શોક અને સંકલ્પના ભાવ સાથે શહીદોને યાદ કરી રહ્યો છે. ૨૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ બેસરન ઘાટીમાં થયેલા આ હુમલામાં ૨૬ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેના જખમ એક વર્ષ બાદ પણ તાજા છે. પહેલગામ હુમલામાં જીવ ગુમાવનારા શુભમ દ્વિવેદીના પત્નીએ પોતાનું દર્દ વ્યક્ત કરતા જણાવ્યું કે આ આતંકવાદી કૃત્યએ તેમના જીવનની તમામ ખુશીઓ અને સ્મિત છીનવી લીધું છે. ભોગ બનેલા પરિવારો આજે પણ આ અપાર ખોટમાંથી બહાર આવી શક્યા નથી અને તેમના હૃદયમાં તે કાળી ઘટનાના નિશાન અમિટ છે.

