Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : VIDEO/ Camera in hand and a ride on the Hooghly River: PM Modi's unique perspective

VIDEO/ PM મોદીનો 'ફોટોગ્રાફર' અંદાજ: હુગલી નદીમાં નૌકા વિહાર કર્યું, કેમેરામાં કેદ થયો હાવડા બ્રિજનો વટ

Timeછેલ્લું અપડેટ : 24 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : twitter

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ચૂંટણીના ગરમાવા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક શાંત અને મનમોહક અંદાજ જોવા મળ્યો છે. શુક્રવારે સવારે પીએમ મોદીએ કોલકાતામાં હુગલી નદીના તટ પર સમય વિતાવ્યો હતો અને પરંપરાગત લાકડાની હોડીમાં સવાર થઈને નૌકા વિહાર (Boat Ride) નો આનંદ માણ્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમના હાથમાં કેમેરો જોવા મળ્યો હતો, જેનાથી તેમણે શહેરના ઐતિહાસિક સ્થાપત્યોની તસવીરો ખેંચી હતી.

App Store

કેમેરામાં કેદ થયો હાવડા બ્રિજનો વટ

વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની તસવીરો શેર કરતા જણાવ્યું હતું કે, તેમને પ્રખ્યાત વિદ્યાસાગર સેતુ (Vidyasagar Setu) અને હાવડા બ્રિજ (Howrah Bridge) ને નદીની વચ્ચેથી નજીકથી જોવાનો અને તેને કેમેરામાં કેદ કરવાનો લ્હાવો મળ્યો. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાંજે ભવ્ય રોડ-શો દરમિયાન તેઓ આ બ્રિજ પરથી પસાર થયા હતા, પરંતુ આજે સવારે નદીના શાંત પ્રવાહ વચ્ચેથી તેમણે આ બ્રિજોની ભવ્યતા નિહાળી હતી.

બંગાળી સંસ્કૃતિ અને મા ગંગા પ્રત્યે આદર

હુગલી નદીને પશ્ચિમ બંગાળની સંસ્કૃતિની જીવાદોરી ગણાવતા પીએમ મોદીએ મા ગંગા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, "ગંગાનું જળ એક પ્રાચીન સભ્યતાની ભાવનાને પોતાની સાથે સમટેલા છે, જે દરેક બંગાળીના જીવનમાં એક વિશેષ અને પવિત્ર સ્થાન ધરાવે છે." હુગલીના કિનારેથી તેમણે બંગાળના વિકાસ અને અહીંની જનતાની સમૃદ્ધિ માટે કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને ફરી એકવાર દોહરાવી હતી.

નાવિકો અને સ્થાનિકો સાથે મુલાકાત

નૌકા વિહાર દરમિયાન પીએમ મોદીએ નદીમાં હોડી ચલાવતા શ્રમિક નાવિકો સાથે વાતચીત કરી હતી અને તેમની સખત મહેનતની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત, સવારની સૈર (Morning Walk) કરવા આવેલા સ્થાનિક લોકો સાથે પણ તેમણે અભિવાદન ઝીલ્યું હતું. મોદીને પોતાની વચ્ચે જોઈને સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને લોકોએ 'મોદી-મોદી' ના નારા સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે વડાપ્રધાનની આ મુલાકાત સાંસ્કૃતિક અને ભાવનાત્મક દૃષ્ટિએ પણ મહત્વની માનવામાં આવી રહી છે.