VIDEO/ ભોપાલ: નવપરિણીતાના શંકાસ્પદ મોતથી ચકચાર, પરિવારે લગાવ્યો દહેજ હત્યાનો ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
મધ્યપ્રદેશના ભોપાલમાં કતરા હિલ્સ વિસ્તારમાં એક નવપરિણીતાના શંકાસ્પદ મોતને લીધે ચકચાર મચી ગઈ હતી . મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લગ્ન બાદથી જ તેને દહેજ માટે શારીરિક અને માનસિક રીતે હેરાન કરવામાં આવતી હતી. પરિવારના મતે આ આત્મહત્યા નથી પરંતુ સાસરીયાઓ દ્વારા કરવામાં આવેલી હત્યા છે.ઘટનાની જાણ થતા જ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને તપાસ શરૂ કરી હતી . પરિવારે પોલીસ સમક્ષ ન્યાયની માંગ કરતા સાસરીયા પક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી . હાલ પોલીસ દહેજ વિરોધી કાયદા હેઠળ કેસ નોંધીને પરિવારના નિવેદનોના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી

