Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Vice President Jagdeep Dhankhar resigns citing health reasons

જગદીપ ધનખડે ઉપ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું, જાણો શું છે કારણ

Timeછેલ્લું અપડેટ : 21 Jul 2025
લાઇવ ટીવીGoogle News
જગદીપ ધનખડે ઉપ રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપ્યું, જાણો શું છે કારણ
સોર્સ : Google

ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે તેમના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સંબોધેલા એક પત્રમાં આરોગ્ય સંબંધિત કારણો અને તબીબી સલાહનો હવાલો આપીને બંધારણની કલમ 67(a) હેઠળ તેમના રાજીનામાની જાહેરાત કરી. રાષ્ટ્રપતિ મુર્મૂને સંબોધેલા તેમના પત્રમાં જગદીપ ધનખડે લખ્યું, 'આરોગ્યને પ્રાથમિકતા આપીને અને તબીબી સલાહનું પાલન કરીને, હું ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપું છું.' તેમણે રાષ્ટ્રપતિનો તેમના સહયોગ અને સૌહાર્દપૂર્ણ સંબંધો માટે આભાર માન્યો. સાથે જ વડાપ્રધાન અને મંત્રીમંડળનો પણ તેમના સહયોગ અને માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કર્યો.

App Store

ગયા મહિને એક કાર્યક્રમ પછી ધનખડને છાતીમાં દુખાવો થયો હતો

25 જૂનના રોજ, ઉત્તરાખંડમાં એક કાર્યક્રમ પછી જગદીપ ધનખડની તબિયત અચાનક બગડી ગઈ. તેમને તાત્કાલિક નૈનીતાલ રાજભવન લઈ જવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરે તેમની તપાસ કરી હતી. નૈનીતાલમાં કુમાઉ યુનિવર્સિટીના સુવર્ણ જયંતિ સમારંભમાં ધનખડ મુખ્ય મહેમાન તરીકે પહોંચ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી ધનખડ ભૂતપૂર્વ સાંસદ મહેન્દ્ર સિંહ પાલના ખભા પર હાથ રાખીને બહાર આવ્યા. પછી તેમણે મહેન્દ્ર પાલના ગળે લગાવ્યા અને રડવા લાગ્યા. લગભગ 10 પગલાં ચાલ્યા પછી ધનખડને અચાનક છાતીમાં દુખાવો થયો. ભૂતપૂર્વ સાંસદ મહેન્દ્ર પાલ અને સુરક્ષા કર્મચારીઓએ તેમની સંભાળ રાખી.

રાજસ્થાનના ઝુંઝુનુના રહેવાસી છે ધનખડ

જગદીપ ધનખડનો જન્મ 18 મે, 1951ના રોજ ઝુંઝુનુ જિલ્લામાં એક સાધારણ ખેડૂત પરિવારમાં થયો હતો અને તેમનું પ્રારંભિક શિક્ષણ ગામમાં થયું હતું. ત્યારબાદ તેમને ચિત્તોડગઢની સૈનિક સ્કૂલમાં પ્રવેશ મળ્યો હતો. ધનખડ NDA (નેશનલ ડિફેન્સ એકેડેમી)માં પસંદગી પામ્યા હતા, પરંતુ તેઓ ગયા નહીં. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. આ પછી તેમણે LLBનો અભ્યાસ કર્યો હતો. તેમણે જયપુરમાં રહીને કાયદાનો અભ્યાસ શરૂ કર્યો હતો.

બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે

70 વર્ષીય જગદીપ ધનખડને 30 જુલાઈ, 2019ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા બંગાળના 28મા રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 1989 થી 1991 સુધી રાજસ્થાનના ઝુંઝુનુથી લોકસભા સાંસદ હતા. તેઓ 1989 થી 1991 સુધી વીપી સિંહ અને ચંદ્રશેખરની સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ રહ્યા હતા.