VIDEO: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટી ના વડા અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મીડિયા સાથેની વાતચીતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટી ના વડા અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કર્યા છે. તાજેતરમાં અખિલેશ યાદવ દ્વારા ભાજપ સરકાર પર લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોને નકારી કાઢતા મૌર્યએ જણાવ્યું હતું કે સત્તા ગુમાવવાના ડરથી વિપક્ષ હવે પાયાવિહોણા નિવેદનો કરી રહ્યો છે. કેશવ પ્રસાદ મૌર્યએ કટાક્ષ કરતા કહ્યું કે અખિલેશ યાદવ માત્ર એસી રૂમમાં બેસીને ટ્વીટ કરવાનું કામ કરે છે, જ્યારે જમીની હકીકતથી તેઓ તદ્દન અજાણ છે. તેમણે ઉમેર્યું કે જનતા સમાજવાદી પાર્ટીના શાસનકાળના ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાની કથળેલી સ્થિતિને ભૂલી નથી. વિપક્ષ ગમે તેટલા દાવા કરે પરંતુ જનતા દર વખતે તેમના જૂઠાણાની હવા નિકાળી દે છે. પ્રયાગરાજમાં કાર્યકરો સાથેની બેઠકમાં મૌર્યએ દાવો કર્યો હતો કે આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ વિજય મેળવશે અને વિપક્ષના તમામ ગણિત નિષ્ફળ સાબિત થશે.

