VIDEO: શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah કોલકાતા પહોંચ્યા, કાલી મંદિરે લીધા આશીર્વાદ
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક ઐતિહાસિક દિવસ છે. રાજ્યમાં પ્રથમ વખત રચનારી ભારતીય જનતા પાર્ટી ની સરકારના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોલકાતા પહોંચ્યા છે. આજે 9 મે 2026ના રોજ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય સમારોહ યોજાવા જઈ રહ્યો છે. અમિત શાહે ગઈકાલે દક્ષિણેશ્વર કાલી મંદિરે દર્શન કર્યા હતા અને બંગાળમાં શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી. આ શપથ ગ્રહણ સમારોહ બંગાળમાં 15 વર્ષના મમતા બેનર્જીના શાસનનો અંત અને ભાજપના નવા યુગની શરૂઆત માનવામાં આવે છે.

