Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Trump is threatening, PM Modi cannot cope', says Rahul Gandhi

'ટ્રમ્પ ધમકાવી રહ્યા છે, PM મોદી સામનો નથી કરી શકતા', રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી પર પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
'ટ્રમ્પ ધમકાવી રહ્યા છે, PM મોદી સામનો નથી કરી શકતા', રાહુલ ગાંધીના પ્રધાનમંત્રી પર પ્રહાર
સોર્સ : google

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે PM મોદી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, અમેરિકામાં અદાણી જૂથ સામે ચાલી રહેલી તપાસને કારણે પીએમ મોદી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ટકી શકતા નથી. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે આ તપાસને કારણે નાણાકીય સંબંધોના કથિત ખુલાસાનો ભય છે. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, કૃપા કરીને સમજો, રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા વારંવાર ધમકીઓ છતાં પીએમ મોદી તેમની સામે ટકી શકતા નથી. કારણ કે અમેરિકા અદાણી કેસની તપાસ કરી રહ્યું છે.'

App Store

રાહુલ ગાંધીએ ગંભીર આરોપો લગાવ્યા 

રાહુલ ગાંધીએ પોસ્ટમાં લખ્યું હતું કે, 'એક ભય મોદી, AA (અદાણી- અંબાણી) અને રશિયન તેલ સોદાઓ વચ્ચેના નાણાકીય વ્યવહારો ખુલ્લા પડવાનો પણ ભય છે. મોદીના હાથ બંધાયેલા છે.' ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે, રશિયન તેલ ખરીદવા બદલ ભારત પર અમેરિકા મોટો ટેરિફ ઝીંકશે. તેમણે દાવો કર્યો હતો કે રશિયા પાસેથી ખરીદેલા તેલનો એક ભાગ ખુલ્લા બજારમાં મોટા નફામાં વેચાઈ રહ્યો છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, 'ભારત માત્ર રશિયન તેલનો મોટો જથ્થો જ ખરીદી રહ્યું નથી, પરંતુ ખુલ્લા બજારમાં ખરીદેલા તેલનો મોટો ભાગ વધારે નફામાં બીજાને વેચી રહ્યું છે. તેમને કોઈ પરવા નથી કે યુક્રેનમાં રશિયા દ્વારા કેટલા લોકો મરી રહ્યા છે. આ કારણે હું ભારત પર ટેરિફમાં ભારે વધારો કરીશ. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!!!'

ભારત સરકારે યોગ્ય જવાબ આપ્યો

જણાવી દઈએ કે, ટ્રમ્પના નિવેદન બાદ ભારતે રાષ્ટ્રીય હિતના આધારે ઊર્જા નીતિ ઘડવાના તેના સાર્વભૌમ અધિકારનો બચાવ કર્યો. ભારત સરકારે સ્પષ્ટ કર્યું કે ભારતની ઊર્જા ખરીદી બજાર ગતિશીલતા અને રાષ્ટ્રીય હિતો દ્વારા નક્કી થાય છે. ગત અઠવાડિયે ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદવા માટે દંડની જાહેરાત બાબતે જવાબ આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'તમે અમારા દૃષ્ટિકોણથી વાકેફ છો, અમે બજારમાં ઉપલબ્ધ સંસાધનો અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. અમને કોઈ ચોક્કસ માહિતી ખબર નથી.'