અમદાવાદથી પ્રયાગરાજ જવું લંડન કરતાં પણ થયું મોંઘુ, એરફેર ત્રણ ગણું વધ્યું

મહાકુંભને પગલે અમદાવાદથી પ્રયાગરાજનું એરફેર કૂદકેને ભૂસકે વધી રહ્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, અમદાવાદથી પ્રયાગરાજ કરતાં અમદાવાદથી લંડન જવાનું એરફેર ઓછું છે.
ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં અમદાવાદથી 9 કલાક 40 મિનિટનો સમય લઈને લંડન પહોંચાડતી ફ્લાઇટનું એરફેર રૂપિયા 30,623 છે. જેની સરખામણીએ આ જ સમયગાળામાં અમદાવાદથી 1.50 કલાકનો સમય લઈને પ્રયાગરાજ પહોંચાડતી ફ્લાઇટનું ભાડું 34,340 રૂપિયા છે. આ ઉપરાંત અમદાવાદ-દુબઈનું વન-વે એરફેર અમદાવાદ-દુબઈ કરતાં 3 ગણું ઓછું છે. અમદાવાદ-દુબઈનું ઓછામાં ઓછું વન-વે એરફેર 12500 રૂપિયા છે.
અમદાવાદથી અયોધ્યાનું વન-વે એરફેર પણ હાલ વધીને 34 હજાર રૂપિયા થઈ ગયું છે. સામાન્ય દિવસોમાં આ એરફેર 7 હજાર રૂપિયાની આસપાસ હોય છે. આ સિવાય અમદાવાદ-વારાણસીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં 3 ગણું વધીને 26 હજાર રૂપિયા થઈ ગયું છે.

