'ધુરંધર'માં તો ઘણું ઓછું બતાવ્યું છે! અજીત ડોભાલ સાથે પાકિસ્તાનમાં બની હતી આ ઘટના

હાલમાં બોક્સ ઓફિસ પર ચાલી રહેલી ફિલ્મ 'ધુરંધર'માં રણવીર સિંહથી સંજય દત્ત અને આર. માધવન સુધીના પાત્રો કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ દર્શકો દરેક પાત્રને વાસ્તવિક જીવનના પાત્ર સાથે જોડી રહ્યા છે. નિર્માતાઓએ ભલે ઓળખ છતી ન થાય તે માટે સુરક્ષિત રીતે ભજવવા માટે નામો બદલ્યા હશે, પરંતુ નિષ્ણાતો માને છે કે વાર્તા અને પાત્રો સત્ય ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મમાં આર. માધવન- અજય સાન્યાલનું પાત્ર ભજવે છે, જે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ પર આધારિત હોવાનું કહેવાય છે.
અજિત ડોભાલ સાથે બની હતી આ ઘટના
ફિલ્મના ભાગ 1 માં અજય સાન્યાલના પાત્રને ખાસ જગ્યા આપવામાં આવી નહોતી, પરંતુ શું તમે જાણો છો કે વાસ્તવિક જીવનના અજય સાન્યાલ અર્થાત NSA અજિત ડોભાલ પોતે ઘણા વર્ષો સુધી પાકિસ્તાનમાં એજન્ટ તરીકે તૈનાત રહ્યા હતા. તેઓ અલગ અલગ વેશમાં ત્યાં રહ્યા હતા. આ દરમિયાન તેમને પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓની દુર્દશાનો અહેસાસ થયો હતો. અજિત ડોભાલે પોતે તેમના એક ભાષણમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં એક હિન્દુએ તેમને ત્યાંની પરિસ્થિતિ વિશે કેવી રીતે જણાવ્યું હતું.
તેમણે મને તરત જ ઓળખી લીધો
અજીત ડોભાલે તેમના એક ભાષણમાં જણાવ્યું કે, "એવું બન્યું કે એક માણસ ખૂણામાં બેઠો હતો. તેનું આકર્ષક વ્યક્તિત્વ હતું. તેની લાંબી, સફેદ દાઢી હતી. તેણે મને બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું કે, શું તમે હિન્દુ છો? મેં કહ્યું, "ના." તેણે કહ્યું, મારી સાથે આવો. તે મને બે ચાર ગલીઓમાંથી પસાર થઈને એક નાના રૂમમાં લઈ ગયો. તેણે દરવાજો બંધ કર્યો અને કહ્યું, "જુઓ, તમે હિન્દુ છો." મેં પૂછ્યું, "તમે આવું કેમ કહો છો?" તેણે કહ્યું, "જુઓ, તમારા કાન વીંધેલા છે."
વૃદ્ધે પ્લાસ્ટિક સર્જરીનું સૂચન કર્યું
અજીત ડોભાલે કહ્યું, "હું જ્યાંનો રહેવાસી છું ત્યાં બાળપણમાં કાન વીંધવાની પરંપરા છે. તેથી મેં તેમને કહ્યું કે હું હિન્દુ તરીકે જન્મ્યો હતો અને હવે ધર્મપરિવર્તન કર્યું છે. એ માણસે કહ્યું કે, તમે પછી પણ ધર્મપરિવર્તન કર્યું નથી. કાનની પ્લાસ્ટિક સર્જરી કરાવો. આવી રીતે ફરવું યોગ્ય નથી. તેણે કહ્યું, "ખબર છે મેં તમને આવું કેમ કહ્યું? કારણ કે હું પણ એક હિન્દુ છું."
કબાટ ખોલીને શિવની મૂર્તિ બતાવી
અજીત ડોભાલે કહ્યું કે, એ વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે, મારા આખા પરિવારને આ લોકોએ મારી નાખ્યો. દાઢીવાળા માણસે અંધારા ઓરડામાં એક કબાટ ખોલીને ભગવાન શિવ અને દેવી દુર્ગાની એક નાની મૂર્તિ હતી. તેણે કહ્યું કે, તે આની રોજ પૂજા કરે છે.

