VIDEO: પક્ષપલટા વિરોધી કાયદાના અર્થઘટનની અરજી પર સુપ્રીમે કેન્દ્રને નોટિસ ફટકારી
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી છે. અરજીમાં બંધારણની દસમી અનુસૂચિના અર્થઘટનને પડકારવામાં આવ્યું છે, જે ધારાસભ્યોને પક્ષ વિલીનીકરણના માર્ગે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ ગેરલાયક ઠરવાથી બચવાની તક આપે છે....જસ્ટિસ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે કહ્યું કે પક્ષપલટા વિરોધી કાયદાના મોટા મુદ્દાઓ ગૃહના ફ્લોર પર અથવા રાજકીય પક્ષો સમક્ષ ઉઠાવવા જોઈએ. બેન્ચે નોંધ્યું કે દસમી અનુસૂચિ સંસદ સભ્યોની રચના છે.સિબ્બલે જવાબ આપતાં કહ્યું કે સત્તામાં રહેલા લોકો આ મુદ્દાનો નિર્ણય લેવા દેશે નહીં અને ચૂંટણી પરિણામો બદલાઈ શકે છે.

