VIDEO: મહાકાલની વિશ્વપ્રસિદ્ધ ભસ્મ આરતીનું રહસ્ય; જાણો કેવી રીતે તૈયાર કરવામાં આવે છે પવિત્ર ભસ્મ
સોર્સ : GSTV
મધ્યપ્રદેશના ઉજ્જૈન નગરમાં શિપ્રા નદીના કિનારે બિરાજમાન ભગવાન મહાકાલેશ્વર બાર જ્યોતિર્લિંગોમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. અહીંની સૌથી ખાસ અને રોમાંચક પરંપરા એટલે વિશ્વપ્રસિદ્ધ ભસ્મ આરતી. આ આરતી દરરોજ વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત માં કરવામાં આવે છે. માન્યતા છે કે મહાકાલ મૃત્યુના દેવ છે અને ભસ્મ એ સૃષ્ટિના અંતિમ સત્યનું પ્રતીક છે. પ્રાચીન સમયમાં સ્મશાનની તાજી ચિતાની ભસ્મથી અભિષેક થતો હતો, પરંતુ હવે કપિલા ગાયના છાણ, શમી, પીપળો અને પલાશના લાકડાના મિશ્રણથી તૈયાર કરેલી પવિત્ર ભસ્મનો ઉપયોગ કરવામાં આવે છે.

