VIDEO : આસામ સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયા પર રોક લગાવવાનો નિર્ણય લીધો
સોર્સ : GSTV
આસામ સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને આધાર કાર્ડ જારી કરવાની પ્રક્રિયા પર રોક લગાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુથ્યમંત્રી હિમંતા બિસવા સરમાએ કેબિનેટની બેઠક બાદ આ અંગે માહિતી આપી હતી. જોકે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને ચા બગીચા સમુદાય સાથે જોડાયેલા લોકોને માર્ચ 2027 સુધી આધાર કાર્ડ આપવામાં આવતા રહેશે. રાજ્ય સરકારના આ નિર્ણયને લઈને વિવિધ સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે. કેબિનેટના નિર્ણય બાદ હવે તેના અમલીકરણ માટેની પ્રક્રિયા હાથ ધરાશે.

