કોકરોચ આંદોલન ભાજપ માટે માથાનો દુઃખાવો, સર્વેમાં NDAને પછડાત અને કોંગ્રેસને બમ્પર ફાયદો

એક ખાનગી કંપની દ્વારા કરાયેલા સરવે અનુસાર, જો આજે દેશમાં લોકસભા ચૂંટણી યોજાય તો ભારતીય જનતા પાર્ટી (BJP) ના નેતૃત્વ હેઠળનું એનડીએ (NDA) ગઠબંધન 326 સીટો સાથે ફરીથી સત્તા પર વાપસી કરી શકે છે. જોકે, જાન્યુઆરી 2026 ના સરવેમાં એનડીએને 352 સીટો મળવાનું અનુમાન હતું, જેની સરખામણીએ છેલ્લા 6 મહિનામાં 26 સીટોનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં એનડીએ બહુમતીના આંકડા કરતાં ઘણું આગળ છે અને કેન્દ્રમાં સરકાર બનાવવાની મજબૂત સ્થિતિમાં છે. આ આંકડો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2024 ના '400 પાર' ના લક્ષ્યાંકથી ઘણો પાછળ છે.
ભાજપને નુકસાન અને કોંગ્રેસનો ઉછાળો
પાર્ટીવાર આંકડાઓ પર નજર કરીએ તો ભાજપને સૌથી વધુ નુકસાન થતું જણાય છે. તાજા સરવેમાં ભાજપને 261 સીટો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરી 2026 માં 287 સીટો હતું. એટલે કે ભાજપના અનુમાનિત આંકડામાં 26 સીટોનો ઘટાડો થયો છે, જોકે 2024 ની લોકસભા ચૂંટણીની 240 સીટોની સરખામણીએ આ દેખાવ હજુ પણ સારો છે. બીજી તરફ કોંગ્રેસ માટે આ સરવે આશાસ્પદ રહ્યો છે. કોંગ્રેસને 106 સીટો મળવાનું અનુમાન છે, જે જાન્યુઆરીના 80 સીટોના અનુમાન કરતાં 26 સીટો વધુ છે.
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલનની અસર

