Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Tamil Nadu/ Massive explosion in firecracker factory, 6 workers killed

તમિલનાડુ/ ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ,6 કામદારોના મોત

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2025
લાઇવ ટીવીGoogle News
તમિલનાડુ/ ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ,6 કામદારોના મોત

તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાના ઉત્પાદન એકમમાં જોરદાર વિસ્ફોટ થયો છે આ ઘટનામાં છ કામદારોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વિસ્ફોટ કેમિકલ ભેળવવાની પ્રક્રિયા દરમિયાન થયો હતો, જેના કારણે એક રૂમ સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

App Store

અધિકારીઓના જણાવ્યા અનુસાર ફાયર અને રેસ્ક્યુ વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ઘટનાની તપાસ હાથ ધરી છે. આ ફેક્ટરીના 35 રૂમમાં 80 થી વધુ કામદારો કામ કરે છે.

ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો.

આ ફટાકડા બનાવવાની ફેક્ટરી અપ્પનાયકનપટ્ટી પંચાયતના બોમાયપુરમ ગામમાં આવેલી છે, જે બાલાજી નામની વ્યક્તિ ચલાવે છે. આ ઘટના ત્યારે બની જ્યારે ફેક્ટરીમાં કામ ચાલી રહ્યું હતું અને કર્મચારીઓ તેમના નિયમિત કામમાં વ્યસ્ત હતા. મૃતકોની ઓળખ વેલમુરુગન, નાગરાજ, કન્નન, કામરાજ, શિવકુમાર અને મીનાક્ષી સુંદરમ તરીકે થઈ હતી, જેઓ વિસ્ફોટમાં મૃત્યુ પામ્યા હતા. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિને ગંભીર હાલતમાં વિરુધુનગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ઘણી ફેક્ટરીઓમાં અકસ્માત

છેલ્લા કેટલાક વર્ષોમાં, તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડા બનાવતી ફેક્ટરીઓમાં વિસ્ફોટના ઘણા કિસ્સા નોંધાયા છે. મે 2024 માં, વિરુધુનગર જિલ્લામાં શિવકાશીમાં સેંગમલાપટ્ટી નજીક ફટાકડા ઉત્પાદન એકમમાં અકસ્માતમાં પાંચ મહિલાઓ સહિત નવ કામદારોના મોત થયા હતા. તે વિસ્ફોટમાં, સાત રૂમ જ્યાં ફટાકડા રાખવામાં આવ્યા હતા તે બળીને રાખ થઈ ગયા.

ફેબ્રુઆરી 2024માં વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 10 લોકોના મોત થયા હતા અને એટલી જ સંખ્યામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઑક્ટોબર 2023 માં, વિરુધુનગર જિલ્લાના રંગાપલયમ અને કિચનાઇકેનપટ્ટી ગામમાં ફટાકડાની બે ફેક્ટરીમાં આગ લાગી હતી, જેમાં 14 લોકોના મોત થયા હતા. જેમાં રંગપાલયમ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં 13 લોકોના મોત થયા હતા અને કિચનાઇકેનપટ્ટી ફટાકડા યુનિટમાં વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું.