VIDEO: પંજાબમાં સ્વાઇન ફ્લૂનો કહેર: એચ૧એન૧ના ૨૨૦ કેસ નોંધાયા, જલંધરમાં પ્રથમ શંકાસ્પદ મોત
સોર્સ : gstv
પંજાબમાં H1N1 ઈન્ફલ્યુએન્ઝા સ્વાઇન ફ્લૂના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે, જેના કારણે આ સિઝનમાં રાજ્યમાં પ્રથમ શંકાસ્પદ મૃત્યુ નોંધાયું છે. જલંધરની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 85 વર્ષીય વૃદ્ધનું આ વાયરસથી નિધન થયું છે. આ સાથે રાજ્યમાં પુષ્ટિ થયેલા ચેપની કુલ સંખ્યા વધીને 220 પર પહોંચી ગઈ છે…આ વધતા પ્રકોપને કારણે આરોગ્ય તંત્રમાં ચિંતા ફેલાઈ છે, ખાસ કરીને વૃદ્ધો અને અન્ય ગંભીર બીમારીઓથી પીડાતા લોકો માટે જોખમ વધ્યું છે. તબીબી નિષ્ણાતો પ્રમાણે H1N1ને સામાન્ય ફ્લૂ માનીને નજરઅંદાજ ન કરવો જોઈએ, કારણ કે સમય જતાં તે ન્યુમોનિયા જેવી ગંભીર શ્વસન બિમારીમાં ફેરવાઈ શકે છે.

