VIDEO: વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં દાનના દુરુપયોગ પર સુપ્રીમ કોર્ટનો કડક આદેશ, દાનના દરેક પૈસો સીધો દાન પેટી અથવા અધિકૃત ઓનલાઈન ખાતામાં જમા થવો જોઈએ
સોર્સ : gstv
સુપ્રીમ કોર્ટે વૃંદાવનના પ્રખ્યાત બાંકે બિહારી મંદિરમાં દાન ભંડોળના કથિત દુરુપયોગ અંગે ગંભીર નોંધ લેતા મહત્વના નિર્દેશો જારી કર્યા છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે આદેશ આપ્યો છે કે દાનના દરેક પૈસો સીધો દાન પેટી અથવા અધિકૃત ઓનલાઈન ખાતામાં જમા થવો જોઈએ. સુનાવણી દરમિયાન, મંદિરના દાનમાં ગેરરીતિ દર્શાવતો સ્ટેટસ રિપોર્ટ અને ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સેવકો કે અન્ય કોઈ દ્વારા દાન પ્રક્રિયામાં દખલગીરી સાંખી લેવામાં આવશે નહીં અને વ્યવસ્થાપન સમિતિએ પારદર્શક વ્યવસ્થા ઊભી કરવી પડશે.

