Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Supreme Court deals a major blow to Abu Salem; plea seeking premature release in the Mumbai blasts case rejected

સુપ્રીમ કોર્ટે આપ્યો અબુ સલેમને મોટો ઝટકો, મુંબઈ વિસ્ફોટ કેસમાં સમય પહેલા મુક્તિની માંગ કરતી અરજી ફગાવાઈ

Timeછેલ્લું અપડેટ : 10 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સુપ્રીમ કોર્ટે આપ્યો અબુ સલેમને મોટો ઝટકો, મુંબઈ વિસ્ફોટ કેસમાં સમય પહેલા મુક્તિની માંગ કરતી અરજી ફગાવાઈ
સોર્સ : gstv

સુપ્રીમ કોર્ટે ગેંગસ્ટર અબુ સલેમને મોટો ફટકો આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ કેસમાં મુક્તિની માંગ કરતી તેની અરજી ફગાવી દીધી છે.ઉલ્લેખનીય છે કે, આ વર્ષે એપ્રિલમાં બોમ્બે હાઈકોર્ટે તેની મુક્તિની અરજી ફગાવી દીધા બાદ અબુ સલેમે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. તેને 1995માં ઉદ્યોગપતિ પ્રદીપ જૈનની હત્યાના કેસમાં 2015માં અને 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના કેસમાં 2017માં વિશેષ ટાડા (TADA) કોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સુનાવણી દરમિયાન, જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે અવલોકન કર્યું હતું કે, "સામાન્ય ગણતરી મુજબ પણ, 11 નવેમ્બર, 2005ના રોજ તમારી ધરપકડની તારીખથી તમારી 25 વર્ષની સજાનો સમયગાળો પૂર્ણ થયો નથી."

App Store
 
ભારત સરકાર દ્વારા તેને 25 વર્ષથી વધુ સમય માટે જેલમાં ન રાખવાની મક્કમ ખાતરી આપવામાં આવ્યા બાદ, મુંબઈ વિસ્ફોટો અને પ્રદીપ જૈન હત્યા કેસમાં ટ્રાયલનો સામનો કરવા માટે અબુ સલેમનું ભારતમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યારે ટ્રાયલ કોર્ટે બંને કેસોમાં આજીવન કેદની સજા સંભળાવી, ત્યારે સુપ્રીમ કોર્ટે 13 જુલાઈ, 2022ના રોજ પોર્ટુગલને આપવામાં આવેલી ખાતરી મુજબ તેની સજા ઘટાડીને 25 વર્ષ કરી હતી.

અબુ સલેમની દલીલ શું હતી?

સુપ્રીમ કોર્ટ સમક્ષ અગાઉની કાર્યવાહીમાં, કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે તેની 25 વર્ષની સજા 11 નવેમ્બર, 2005ના રોજ શરૂ થઈ હતી અને નવેમ્બર 2030માં પૂર્ણ થશે. તેની સામે, અબુ સલેમે દલીલ કરી હતી કે સજાના સમયગાળાની ગણતરી 18 સપ્ટેમ્બર, 2002થી થવી જોઈએ—જે તારીખે ભારતની વિનંતી પર ઈન્ટરપોલ દ્વારા જારી કરાયેલ 'રેડ કોર્નર નોટિસ'ને પગલે તેને પોર્ટુગલમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારનું કહેવું છે કે સલેમને પોર્ટુગલમાં પાસપોર્ટ સંબંધિત ગુનાના સંદર્ભમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો, અને તે અટકાયત તે ગુનાઓ સાથે સંબંધિત ન હતી જેના માટે બાદમાં તેનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.

અબુ સાલેમ કોણ છે?


અબુ સાલેમ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના સિન્ડિકેટનો હિસ્સો હતો. જૂન 2017માં, 1993ના મુંબઈ વિસ્ફોટ કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોમાં ઉપયોગ કરવા માટે ગુજરાતથી મુંબઈ હથિયારોની હેરફેર કરવા બદલ તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. આ વિસ્ફોટોમાં 257 લોકોના મોત થયા હતા અને 700થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.