'સાળી બનેવી વચ્ચે સેક્સ સંબંધ ખોટો, પરંતુ પુખ્ત છે તો રેપ ના કહેવાય': હાઈકોર્ટ

અલાહાબાદ હાઈકોર્ટે પોતાની પત્નીની બહેન એટલે કે સાળી ઉપર બળાત્કારના કેસમાં આરોપી પતિને રાહત આપી છે. કોર્ટનું કહેવું છે કે ભલે સાળી બનેવીના સંબંધો સંબંધો અનૈતિક હોય, પરંતુ જો મહિલા પુખ્ત હોય તો આ સંબંધને બળાત્કાર ગણી શકાય નહીં. આરોપીની જુલાઈ 2024માં ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેને કોર્ટે જામીન આપી દીધા છે.
નેવી અને સાળી વચ્ચે ગેરકાયદેસર સંબંધ
જસ્ટિસ સમીર જૈનની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી. એક રિપોર્ટ મુજબ અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે, આ કેસમાં ક્લાયન્ટ પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા છે. વકિલે દલીલ કરતાં કહ્યું કે, બનેવી અને સાળી વચ્ચે ગેરકાયદેસર સંબંધ છે એવી અરજદારને જાણ થતાં તેણે એફઆઈઆર નોંધાવી હતી.
રિપોર્ટ અનુસાર, કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, કથિત પીડિતા પુખ્ત છે અને તેણે CrPCની કલમ 161 હેઠળ આપેલા નિવેદનમાં આરોપોને નકારી કાઢ્યા હતા. બાદમાં CrPC ની કલમ 164 હેઠળ નિવેદન બદલવામાં આવ્યું હતું અને ફરિયાદી પક્ષના કેસને સમર્થન આપતું નિવેદન આપ્યું હતું. આ બાજુ જામીનનો વિરોધ કરતા AGA એ હકીકતને નકારી શક્યા ન હતા કે કથિત પીડિતા પુખ્ત છે અને રેકોર્ડથી એવી ખબર નથી પડતી કે તેણીએ સંબંધ બનાવવા સંમતિ આપી ન હતી.
અરજદાર અને પરિણીત પુરુષ સાથે તેના સંબંધો
સુનાવણી દરમિયાન, કોર્ટે આરોપી સામેના આરોપો, બંને પક્ષોની દલીલો અને હકીકતને ધ્યાનમાં લીધા કે, કથિત પીડિતાએ શરૂઆતમાં આરોપોને નકારી કાઢ્યા હતા અને બાદમાં તેણીએ નિવેદન બદલી નાખ્યું હતું. તેણીએ અરજદાર અને પરિણીત પુરુષ સાથે તેના સંબંધો હોવાનું પણ કહેવાયું હતું.
કથિત પીડિતા પુખ્ત હોવાથી તેને બળાત્કાર માની શકાય નહીં
આવી સ્થિતિમાં કોર્ટનું કહેવું છે કે, આ સંબંધ અનૈતિક છે, પરંતુ કથિત પીડિતા પુખ્ત હોવાથી તેને બળાત્કાર માની શકાય નહીં. કોર્ટે એ પણ વિચાર્યું કે અરજદાર અને પીડિતા વચ્ચે ગેરકાયદેસર સંબંધો વિકસ્યા હતા. આરોપીનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને જુલાઈ 2024માં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ હકીકતોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને જામીન આપ્યા હતા.

