રામનગરી અયોધ્યામાં કાળઝાળ ગરમીની શરૂઆત, લોકોને કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
સોર્સ : gstv
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આકરા ઉનાળાની શરૂઆત સાથે જ સૂર્યદેવનો પ્રકોપ જોવા મળ્યો હતો . શહેરમાં હીટ વેવના કારણે તાપમાનનો પારો સતત ઉપર જઈ રહ્યો છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા અને લોકો ગરમીથી બચવા માટે છાંયડા અને ઠંડા પીણાનો સહારો લીધી હતો . હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની શક્યતા વ્યક્ત કરી હતી તેથી નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી.

