VIDEO:TMCમાં બળવા બાદ સાયોની ઘોષનું મૌન તૂટ્યું, કહ્યું- 'યોગ્ય સમયે આપીશ જવાબ'
સોર્સ : GSTV
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક મતભેદો વચ્ચે પાર્ટીની સાંસદ સાયોની ઘોષે સમગ્ર મુદ્દે પ્રથમ વખત મૌન તોડ્યું છે. દિલ્હી એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે જ તેઓ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપશે. સાયોનીએ જણાવ્યું કે મીડિયાને નહીં પરંતુ પોતાના મતવિસ્તારના લોકોને જવાબ આપશે. અહેવાલો મુજબ તેઓ અન્ય કેટલાક સાંસદો સાથે બાગી જૂથમાં જોડાયા હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ બાગી સાંસદો અને ઓમ બિરલા વચ્ચે બેઠક યોજાઈ હતી. TMCમાં વધતા મતભેદોને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. મહત્વનું છે કે સાયોનીએ બળવો કર્યા બાત મમતા બેનર્જીએ તેમને યુથ ટીએમસીના અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે

