Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : "Rulership worse than British rule in country, Ram temple looted", Aditya Thackeray lashes out at BJP in Nagpur

VIDEO: "દેશમાં અંગ્રેજોના શાસન કરતાં પણ ખરાબ હુકમશાહી, રામ મંદિરને લૂંટવામાં આવ્યું", નાગપુરમાં આદિત્ય ઠાકરેના ભાજપ પર આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 18 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના રાજકારણમાં નિવેદબાજીનો દોર તેજ બન્યો છે. શિવસેના (UBT) ના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેએ નાગપુરમાં મીડિયા સાથેની વાતચીતમાં કેન્દ્ર અને રાજ્યની સત્તાધારી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે રામ મંદિરના મુદ્દે ભાજપને ઘેરતા દેશની વર્તમાન પરિસ્થિતિને અઘોષિત કટોકટી (ઇમરજન્સી) ગણાવી છે.

App Store

રામ ભક્તો પર અત્યાચાર, અંગ્રેજોના શાસન જેવી સ્થિતિ

આદિત્ય ઠાકરેએ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, "અયોધ્યામાં રામ મંદિરને લૂંટવામાં આવ્યું છે અને સમગ્ર દેશ આ પરિસ્થિતિનો સાક્ષી બની રહ્યો છે. દેશભરના હિન્દુઓ જોઈ રહ્યા છે કે કેવી રીતે ભાજપે રામ મંદિરને નુકસાન પહોંચાડ્યું છે. અને તેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે."

તેમણે આગળ ઉમેર્યું કે, "જ્યારે રામ ભક્તો પોતાના હક માટે અને વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતર્યા, ત્યારે તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આવી ઘટનાઓ ભૂતકાળમાં ક્યારેય નથી બની, બ્રિટિશ શાસન દરમિયાન પણ આવું થતું નહોતું. ભાજપે દેશમાં અત્યાર સુધીની સૌથી ખરાબ પ્રકારની હુકમશાહી લાવી દીધી છે."

ઇમરજન્સી સ્વીકારવાની હિંમત નથી: આદિત્ય ઠાકરે

વર્તમાન રાજકીય વાતાવરણ પર કટાક્ષ કરતાં આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ભાજપ સરકાર દેશમાં સરમુખત્યારશાહી ચલાવી રહી છે પરંતુ તેમનામાં એટલી હિંમત પણ નથી કે તેઓ સ્વીકારી શકે કે દેશમાં વાસ્તવિક રીતે 'ઇમરજન્સી' (કટોકટી) લાગુ થઈ ચૂકી છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓ પહેલાં શિવસેના (UBT) દ્વારા હિન્દુત્વ અને રામ મંદિરના મુદ્દે ભાજપને ઘેરવાની આ રણનીતિથી રાજ્યનું રાજકીય તાપમાન ગરમાયું છે.