Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rain entry in Kerala: Monsoon delayed by 3 days,

કેરળમાં મેઘરાજાની એન્ટ્રી: ૩ દિવસ મોડું ચોમાસું બેઠું, જાણો તમારા રાજ્યમાં ક્યારે આવશે?

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
કેરળમાં મેઘરાજાની એન્ટ્રી: ૩ દિવસ મોડું ચોમાસું બેઠું, જાણો તમારા રાજ્યમાં ક્યારે આવશે?
સોર્સ : gstv

નવી દિલ્હી/ મુંબઇ : હવામાન વિભાગે આજે એવી સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે   ૨૦૨૬ની  નૈઋત્યની  વર્ષા ઋતુનું આગમન આજે  ૪, જૂને કેરલમના સમુદ્રમાં થઇ ગયું છે.  કુદરતી પરંપરા  મુજબ ચોમાસાનું કેરલમ આગમન ૧, જૂને થાય છે.  જોકે ૨૦૨૬ની વર્ષા ઋતુનું કેરલમના સમુદ્રમાં  આગમન  ત્રણ દિવસ મોડું  થયું છે. 

App Store

હાલ ચોમાસાની નોર્ધન લિમિટ( ચોમાસાની ઉત્તર રેખા)  મેંગલુરુ, ઉત્થાગમનદલમ, કોડાઇકેનાલ, થુથુકુડી પરથી પસાર થઇ રહી છે. 

આમ તો હવામાન વિભાગે અગાઉ એવો સંકેત  આપ્યો  હતો કે આ વર્ષનું ચોમાસુ ૨૬, મે એ  એટલે કે સાત દિવસ વહેલાં કેરલમ સુધી આવી પહોંચે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ છે. આમ છતાં  પવનની દિશા અને  ગતિ, વરસાદી વાદળો બનવાની કુદરતી  પ્રક્રિયા,  સતત વરસાદ,  સમુદ્રમાંનો  કરન્ટ વગેરે  પ્રાકૃતિક  પરિબળો  ઘણાં  મંદ પડી જતાં મેઘરાજાની સવારી કેરળના  દરિયામાં  ત્રણ દિવસ મોડી  આવી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ (નવી દિલ્હી) ડો. મૃત્યુંજય મોહપાત્રાએ ગુજરાત સમાચારને એવી વિશેષ માહિતી  આપી છે કે  છેલ્લા   બે દિવસ દરમિયાન  તમામ નૈસર્ગિક પરિબળો સંપૂર્ણપણે સાનુકુળ થઇ ગયાં હોવાથી ચોમાસુ આજે  ૪, જૂને કેરલમના દરિયામાં  આવી  પહોંચ્યું છે. છેલ્લા બે દિવસથી કેરલમમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.  

૨૦૨૬ની નૈઋત્યની  વર્ષા ઋતુ આજે અરબી સમુદ્ર, સમગ્ર લક્ષદ્વિપ ટાપુઓ, કેરલમ, કર્ણાટક, તામિલનાડુ, કન્યાકુમારીના અમુક વિસ્તારો, બંગાળના ઉપસાગરના બાકીના હિસ્સામાં પણ આગળ  વધી  છે  .સાથોસાથ આવતા ૨ - ૩ દિવસમાં  ચોમાસુ આંધ્ર પ્રદેશ, સમગ્ર ગોવા, મહારાષ્ટ્રના અમુક વિસ્તાર, બંગાળના અને ઇશાન ભારત(અરુણાચલમ, મિઝોરમ વગેરે)ના કેટલાક વિસ્તારોમાં પણ આગળ વધે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ  બની રહ્યાં છે. 

ઓછા વરસાદની સંભાવના 

 હવામાન વિભાગે જોકે ૨૦૨૬ના ચોમાસામાં ભારતમાં  ૯૦ ટકા જેટલો વરસાદ વરસવાનો સંકેત પણ આપ્યો છે, જે   સામાન્ય કરતાં  ઓછો હોવાની સંભાવના છે. આ વર્ષેએલ - નીનો(પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોેને  એલ - નીનો, જ્યારે ઠંડા પ્રવાહોને લા - નીના કહેવાય છે) ની અસરને કારણે ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસવાની શક્યતા છે.

ખાસ કરીને ઇશાન ભારતમાં સામાન્ય, મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો  છે.