VIDEO: રાહુલ ગાંધીએ નીટ પેપર લીક મુદ્દે પીડિત પરિવારની વ્યથા સાંભળી
સોર્સ : gstv
લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ NEET પેપર લીક મામલે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લઈને તેમની વ્યથા સાંભળી હતી. સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને તેમણે દેશની પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવ્યા અને પેપર લીકના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હોવાનું જણાવ્યું. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતાં કહ્યું કે તેમણે પીડિત પરિવારજનો અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી નથી. તેમણે જણાવ્યું કે દેશના વિદ્યાર્થીઓને માફીની નહીં, પરંતુ પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થાની જરૂર છે. સાથે જ રાહુલ ગાંધીએ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પાસે વડાપ્રધાન માફી માંગે તેવી માંગ પણ કરી છે.

