Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Rahul Gandhi calls Manish Sisodia Architect of liquor scam alongside Arvind Kejriwal

AAP પર રાહુલ ગાંધીનો મોટો પ્રહાર : કેજરીવાલ અને સીસોદીયાએ મળીને આચર્યું દારૂનીતિ કૌભાંડ

Timeછેલ્લું અપડેટ : 28 Jan 2025
લાઇવ ટીવીGoogle News
AAP પર રાહુલ ગાંધીનો મોટો પ્રહાર : કેજરીવાલ અને સીસોદીયાએ મળીને આચર્યું દારૂનીતિ  કૌભાંડ

Delhi Assembly Election 2025 : કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને નેતા મનીષ સીસોદીયા પર પ્રહારો કરતા કહ્યું કે કેજરીવાલ અને સીસોદીયાએ મળીને દારૂનીતિ  કૌભાંડ આચર્યું છે. 

App Store

મનીષ સીસોદીયા અરવિંદ કેજરીવાલ સાથે દારૂ કૌભાંડના શિલ્પી : રાહુલ ગાંધી 

પટપડગંજ વિધાનસભા મતવિસ્તારમાં એક જાહેર રેલીને સંબોધતા ગાંધીએ આરોપ લગાવ્યો કે આ મતવિસ્તારના ભૂતપૂર્વ AAP ઉમેદવાર સીસોદીયા ભ્રષ્ટાચારમાં ફસાયા બાદ ડરના કારણે પટપડગંજ વિધાનસભા છોડીને ભાગી ગયા હતા. ગાંધીએ કહ્યું, "મનીષ સીસોદીયા, જે અગાઉ પટપડગંજથી AAP ઉમેદવાર હતા, અરવિંદ કેજરીવાલ સાથે દારૂ કૌભાંડના શિલ્પી હતા. તેમણે અહીં ઘણો ભ્રષ્ટાચાર કર્યો, ડરી ગયા અને આ બેઠક પરથી ભાગી ગયા. હવે તમારે અનિલ ચૌધરી મત આપવો જોઈએ."

 કેજરીવાલ જે મનમાં આવે તે બોલે છે : રાહુલ ગાંધી

અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું, "કેજરીવાલે કહ્યું હતું કે તેઓ રાજનીતિ સાફ કરશે, પરંતુ સૌથી મોટું દારૂ કૌભાંડ દિલ્હીમાં થયું. તમે તેમના ઘરની તસવીરો પણ જોઈ હશે. તેઓ એક મહેલમાં રહે છે - 'શીશ મહેલ'.. " રમખાણો થયા ત્યારે પણ તે અહીં નહોતા. AAPના અરવિંદ કેજરીવાલ જે મનમાં આવે તે બોલે  છે. જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે તેઓ એક નવા પ્રકારની રાજનીતિ લાવશે. તેમણે કહ્યું હતું કે તેઓ દિલ્હીને એક નવો દેશ બનાવશે. તેઓ તેને બદલી નાખશે, પરંતુ જ્યારે ગરીબ લોકોને તેની જરૂર હતી, ત્યારે તેઓ આવ્યા નહીં..."

RSS અને BJP ફક્ત ભાઈઓ વચ્ચે લડાઈ કરાવવા માંગે છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પણ ટીકા કરી અને તેમના પર બેરોજગાર યુવાનોના સંઘર્ષોને અવગણવાનો આરોપ લગાવ્યો, તેઓ ઉડાઉ કાર્યક્રમોમાં સામેલ થઈને બેરોજગાર યુવાનોના સંઘર્ષોને અવગણી રહ્યા છે. તેમણે કહ્યું, "દેશના યુવાનો પાસે રોજગાર નથી, પરંતુ પીએમ મોદી આઠથી દસ કરોડ લોકોની પાર્ટીઓમાં નાચે છે... RSS અને BJP ફક્ત ભાઈઓ વચ્ચે લડાઈ કરાવવા માંગે છે."