VIDEO : સીએમ યોગીની અયોધ્યા મુલાકાતની તૈયારીઓ
સોર્સ : GSTV
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે ૧૯ જૂને અયોધ્યાના પ્રવાસે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલાના દર્શન અને પૂજા-અર્ચના કરશે. મુખ્યમંત્રી વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. આ ઉપરાંત તેઓ વીરાંગના ઝલકારી બાઈની પ્રતિમાનું અનાવરણ અને અન્ય જાહેર કાર્યક્રમોમાં સહભાગી થશે. રામ મંદિરના દાનમાં કથિત ગેરરીતિઓના મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અયોધ્યામાં તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

