Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi had a telephonic conversation with Trump amidst the Iran war

ઈરાન યુદ્ધ વચ્ચે PM MODIએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોનિક વાત, મિડલ ઈસ્ટ મુદ્દે થઈ ચર્ચા 

Timeછેલ્લું અપડેટ : 24 Mar 2026
લાઇવ ટીવીGoogle News
ઈરાન યુદ્ધ વચ્ચે PM MODIએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે કરી ટેલિફોનિક વાત, મિડલ ઈસ્ટ મુદ્દે થઈ ચર્ચા 
સોર્સ : GSTV

મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોનમાં વાતચીત થઈ છે. જેમાં ખાસ કરીને 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને ખુલ્લુ રાખવાના મહત્વ પર ભારતે ભાર મૂક્યો છે. 

App Store

અમેરિકાના ભારતમાં સ્થિત રાજદૂત સર્જિયો ગૌર દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી માહિતી મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્ત્વપૂર્ણ વાતચીત થઈ છે. તેમણે કહ્યું કે 'રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં જ વડાપ્રધાન મોદી સાથે વાત કરી. તેઓએ મધ્ય પૂર્વની વર્તમાન પરિસ્થિતિ વિશે ચર્ચા કરી, જેમાં 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'ને ખુલ્લું રાખવાના મહત્વનો પણ સમાવેશ થાય છે. 

'અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી': રાજ્યસભામાં PM

ઉલ્લેખનીય છે કે આજે 24 માર્ચના રોજ પીએમ મોદીએ રાજ્યસભામાં સંબોધન કરતાં કહ્યું હતું કે, યુદ્ધની શરૂઆત બાદ મેં પશ્ચિમ એશિયાના દેશોના વડા સાથે બે વખત વાતચીત કરી છે. અમે ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા સાથે પણ સતત સંપર્કમાં છીએ. અમે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે પણ વાતચીત કરી છે. કોમર્શિયલ જહાજો પર હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટમાં અડચણ અસ્વીકાર્ય છે. ભારતે નાગરિકો તથા સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો વિરોધ કર્યો છે. ભારત ડિપ્લોમેસીના માધ્યમથી યુદ્ધના આ માહોલમાં જહાજોની અવરજવર માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. 

અમે સતત તમામ દેશો સાથે સંપર્કમાં છીએ: પીએમ મોદી 

PM મોદીએ કહ્યું છે કે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને ત્રણ સપ્તાહનો સમય થઈ ગયો છે. જેના કારણે વિશ્વમાં ગંભીર ઊર્જા સંકટ ઊભું થયું છે. જેની અસર ભારત પર પણ પડી રહી છે. આ યુદ્ધના કારણે ભારતના વેપારના રસ્તા પ્રભાવિત થઈ રહ્યા છે. ગલ્ફ દેશોમાં એક કરોડથી વધુ ભારતીયો વસે છે, તેથી તેમની સુરક્ષા પણ ભારત માટે ચિંતાનો વિષય છે. મેં પશ્ચિમ એશિયાના મોટા ભાગના દેશોના વડાઓ સાથે બે વખત વાતચીત કરી છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પ્રભાવિત પરિવારોને મદદ આપવામાં આવી રહી છે. ત્યાંનાં તમામ દેશોએ ભારતીયોની સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. જોકે કેટલાક ભારતીયોનું દુ:ખદ નિધન થયું છે, તેમની મદદ માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.