Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : PM Modi gave a message to the world from Bikaner

VIDEO: 'પાકિસ્તાન ભૂલી ગયું કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે', PM Modiનો લલકાર

Timeછેલ્લું અપડેટ : 22 May 2025
લાઇવ ટીવીGoogle News
VIDEO: 'પાકિસ્તાન ભૂલી ગયું કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે', PM Modiનો લલકાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા. આ દરમિયાન પીએમએ કહ્યું કે, અમે 22 એપ્રિલના રોજ  પહેલગામમાં થયેલા હુમલાનો 22 મિનિટમાં આતંકવાદીઓના 9 ઠેકાણાઓનો નાશ કરીને જવાબ આપ્યો. પાકિસ્તાન એક વાત ભૂલી ગયું છે કે હવે ભારત માતાનો સેવક મોદી અહીં માથું ઊંચું કરીને ઉભો છે. મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે. 

App Store

પહેલગામ હુમલાને યાદ કરતા પીએમએ કહ્યું કે, 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ આપણી બહેનોના ધર્મ વિશે પૂછીને તેમના કપાળનું સિંદૂર ભૂંસી નાંખ્યું હતું. ૧૪૦ કરોડ દેશવાસીઓએ સંકલ્પ કર્યો હતો કે, તેઓ આતંકવાદનો નાશ કરશે. અમારી સરકારે ત્રણેય દળોને સંપૂર્ણ છૂટ આપી હતી. સેનાએ આતંકીઓનો ખાત્મો બોલાવ્યો.

ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ આગળ કહ્યું કે, ત્રણેય સેનાઓએ મળીને પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યું. 22મી તારીખે થયેલા હુમલાના જવાબમાં આતંકવાદીઓના ઠેકાણાનો 22 મિનિટમાં નાશ કરવામાં આવ્યો. દુનિયાએ જોયું કે, જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાઈ જાય છે ત્યારે શું થાય છે.

ઓપરેશનની સફળતા વિશે બોલતા પીએમએ કહ્યું કે, હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે જે લોકો સિંદૂર લૂછવા માટે નીકળ્યા હતા તેઓને ધૂળમાં મેળવી દીધા છે. ભારતમાં વહેતા લોહીના દરેક ટીપાનો હિસાબ આપવામાં આવ્યો છે. ચીન પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે, જેઓ પોતાના શસ્ત્રો પર ગર્વ કરતા હતા તેઓ આજે કાટમાળના ઢગલા નીચે દટાયેલા છે.

પાકિસ્તાન અંગે પીએમએ કહ્યું કે, આ કોઈ બદલાની રમત નથી, આ ન્યાયનું એક નવું સ્વરૂપ છે. આ ફક્ત ગુસ્સો નથી પણ સમગ્ર ભારતનો ગુસ્સે ભરાયેલો ચહેરો છે. પહેલા તેણે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો, ભારતે તેની છાતી પર સામે જઈને હુમલો કર્યો છે.  .

પહેલગામમાં થયેલા 22 એપ્રિલના હુમલાના જવાબમાં, અમે 22 મિનિટમાં 9 સૌથી મોટા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. દુનિયા અને દેશના દુશ્મનોએ પણ જોયું છે કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાય છે ત્યારે શું થાય છે. આજે હું કહું છું કે જે લોકો સિંદૂર લૂછવા નીકળ્યા હતા તેઓ કાદવમાં ભળી ગયા છે.