VIDEO: 'PM મોદી રાત્રે ઊંઘી શકતા નથી, ચાણક્ય કહેવાતા ગૃહ મંત્રી જવાબ ન આપી શક્યા', રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા પ્રહાર
નવી દિલ્હીના માવલંકર હોલ ખાતે આયોજિત રચનાત્મક કોંગ્રેસ નેશનલ કન્વેન્શન દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિ અને સંસદના વાતાવરણ અંગે વાત કરતા કેન્દ્ર સરકારની નીતિઓની તીખી ટીકા કરી હતી.
રાહુલના PM મોદી અને ગૃહમંત્રી પર આકરા પ્રહાર
કાર્યક્રમમાં સભાને સંબોધતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ કહ્યું કે 'અમારું કામ ખૂબ સરળ છે, અમે તેમને પાગલ કરી દઈશું.' તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પર પ્રહાર કરતા જણાવ્યું કે 'નરેન્દ્ર મોદી રાત્રે ઊંઘી શકતા નથી, જેના કેટલાક મુખ્યા અને કેટલાક છુપાયેલા કારણો છે.' આ સાથે ગૃહ મંત્રી અમિત શાહનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું કે 'જેમને ચાણક્ય અને સરદાર પટેલ કહેવામાં આવતા હતા, તેઓ ક્યાં ગાયબ થઈ ગયા? તેઓ 20 દિવસ સુધી સંસદ ભવનમાં પ્રવેશ પણ કરી શક્યા નહોતા, કારણ કે તેઓ પહેલીવાર ભારતની અભિવ્યક્તિનો અહેસાસ કરી રહ્યા છે અને સમજી ગયા છે કે હવે દેશે પોતાની વાત વ્યક્ત કરવાનું શરૂ કરી દીધું છે.'
વિરોધ કરનારાઓના વલણ અંગે નિવેદન
દેશના વર્તમાન વાતાવરણ વિશે આગળ વાત કરતા તેમણે જણાવ્યું કે આપણા દેશમાં ઘણા લોકો આ ડરપોક તાકાત સામે ડરપોક જેવું વર્તન કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે બ્રિટિશ રાજ સામે આ પ્રકારના સ્ટેન્ડને સમજી શકાય તેમ હતું, પરંતુ આ લોકો જોકરોના ટોળા જેવા છે.
RSS અને ઉદ્યોગપતિઓ પર આક્ષેપ
રાહુલે PMની વિદેશ નીતિની મિમિક્રી કરી
પોતાના સંબોધન દરમિયાન વિદેશ નીતિ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, ખબર નહીં તેમને ક્યાંથી લાગ્યું કે, ગળે લગાવી લેવું એ જ વિદેશ નીતિ છે. આ કહેતાની સાથે જ તેમણે મંચ પર જ કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ગળે લગાવીને મિમિક્રી કરી બતાવી હતી. તેમણે ઉમેર્યું કે, અમે જોકરોના આ ટોળાને અમારા પર શાસન કે, આદેશ ચલાવવા દેશું નહીં.

